કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ (Education Minister Ramesh Pokhiryal Nishank) નિશંક 17 મે 2021 ના રોજ તમામ રાજ્યોના શિક્ષણ સચિવો સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. આ બેઠકમાં પોખરીયાલ (Education Minister Ramesh Pokhiryal Nishank) શિક્ષણ ક્ષેત્રે કોરોના રોગચાળાની અસરની સમીક્ષા કરશે. આ સાથે, શિક્ષણ પ્રધાન ઑનલાઇન શિક્ષણના પ્રમોશન અને નવી શિક્ષણ નીતિના અમલીકરણની પણ સમીક્ષા કરશે.
આ દિવસોમાં કોરોના વાયરસને કારણે દેશમાં ગભરાટનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં દેશની લગભગ તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. કેટલીક શાળાઓ ઉનાળાની રજાઓ ચલાવી રહી છે, જ્યારે કેટલીક શાળાઓ ઑનલાઇન વર્ગો ચલાવી રહી છે. મળતી માહિતી મુજબ આ બેઠકનો સૌથી મહત્વનો એજન્ડા Covid-19 મહામારી છે અને તેનો પ્રભાવ શિક્ષણ પર છે. વળી, બોર્ડની પરીક્ષાઓ કે જેની હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી તે અંગે પણ ચર્ચા થઈ શકે છે.
આ મીટિંગ વર્ચુઅલ મોડમાં હશે. મહામારી દરમિયાન, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન (Education Minister Ramesh Pokhiryal Nishank) Covid-19 ચેપથી નિવારવા માટે તમામ રાજ્યોના શિક્ષણ વિભાગો દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અને વિદ્યાર્થીઓ કેવી રીતે તેમનું ઑનલાઇન શિક્ષણ ચાલુ રાખી શકે છે તેની સમીક્ષા કરશે. વર્ષ 2020 માં લાગુ કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિ વિશે પણ ચર્ચા કરી શકે છે.
કોરોના વાયરસ ચેપને કારણે, ઘણા રાજ્યોએ ધોરણ 10 વર્ગના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પાસ કરવાનું નક્કી કર્યું છે. તે જ સમયે, આગામી ઓર્ડર સુધી ધોરણ 12 ની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. એપ્રિલમાં આવેલા કોરોના વાયરસની બીજી લહેરને કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 10 ધોરણ સીબીએસઈ બોર્ડ (CBSE Board) ની પરીક્ષા રદ કરી હતી અને 12 સીબીએસઈ બોર્ડ (CBSE Board) ની પરીક્ષા મુલતવી રાખી હતી. આને કારણે, એવું માનવામાં આવે છે કે શિક્ષણ પ્રધાન 17 મેએ સીબીએસઈ (CBSE Board) ધોરણ 12 મીની પરીક્ષાને લઈને મોટી જાહેરાત કરી શકે છે.