Education Budget 2021: શિક્ષણ બજેટમાં બદલાવ, આ સંસ્થાને આપવામાં આવશે 50 હજાર કરોડ

કોરોનાવાયરસ મહામારીને કારણે શિક્ષણ ક્ષેત્રે જબરદસ્ત પરિવર્તન જોવા મળ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વખતે શિક્ષણ બજેટ (Education Budget 2021) માં મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.

Education Budget 2021: શિક્ષણ બજેટમાં બદલાવ, આ સંસ્થાને આપવામાં આવશે 50 હજાર કરોડ
નાણામંત્રી નિર્મલા સીતારામન (ફાઇલ ફોટો)
Follow Us:
| Updated on: Feb 01, 2021 | 5:34 PM

કોરોનાવાયરસ મહામારીને કારણે શિક્ષણ ક્ષેત્રે જબરદસ્ત પરિવર્તન જોવા મળ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વખતે શિક્ષણ બજેટ (Education Budget 2021) માં મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતી વખતે શિક્ષણ બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. આ વખતે જોઈ શકાય છે કે આ બજેટ આરોગ્ય ક્ષેત્રની આસપાસ ફરતું જોવા મળશે. તે જ સમયે, પાછલા વર્ષોની તુલનામાં શિક્ષણ ક્ષેત્રે ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ગત વર્ષના બજેટ ઉપર નજર કરીએ તો, સરકાર દ્વારા શૈક્ષણિક યોજના ઓછી કરવામાં આવી હોવાનું જોવા મળે છે.

કોરોનાવાયરસ મહામારીને કારણે શિક્ષણ ક્ષેત્રે જબરદસ્ત પરિવર્તન જોવા મળ્યું છે. અચાનક, દેશમાં લોકડાઉન વચ્ચે, લગભગ દરેક શાળા, કોલેજ, યુનિવર્સિટીમાં Online Classes અને Online પરીક્ષાઓ શરૂ થઈ હતી. આવી સ્થિતિમાં શિક્ષણ બજેટ અંગે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સરકાર દ્વારા આવી કેટલીક નીતિ લાવવામાં આવશે જેથી મહામારીના સમયમાં પણ શિક્ષણને મજબુત બનાવી શકાય.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ગયા વર્ષનું શિક્ષણ બજેટ

ગયા વર્ષના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે રૂ. 99,300 કરોડની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી, લોકડાઉન દરમિયાન દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી. બજેટ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે 2021 સુધીમાં દેશભરમાં 150 શૈક્ષણિક સંસ્થાઓ ખોલવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારામને રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટી શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.

વર્ષ 2019-20નું શૈક્ષણિક બજેટ

બીજી બાજુ, જો આપણે 2019-20 ના શૈક્ષણિક બજેટ પર નજર કરીએ તો મોદી સરકારે 94,853.24 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લીધો હતો. ઉચ્ચ શિક્ષણ માટે 38,317 કરોડ અને શાળાના શિક્ષણ માટે 56,536.63 કરોડ ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

તે જ સમયે, સરકારે જાહેર કરેલા બજેટમાં, દેશમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત સંશોધનને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન (National Research Foundation)ની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. તે જ સમયે, ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા ઉચ્ચ શિક્ષણ આયોગ (Higher Education Commission) બનાવવાની દરખાસ્ત પસાર કરવામાં આવી છે.

આ ખાસ પરિવર્તન

ગયા વર્ષના બજેટમાં 150 શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વખતે 100 નવી સૈન્ય શાળાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. તે જ સમયે, દેશભરની લગભગ 15 હજાર શાળાઓને મજબૂત બનાવવાનું કામ કરવામાં આવશે. લદ્દાખમાં ઉચ્ચ શિક્ષણ મળે તે માટે, લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં આદિવાસી બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને 750 એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ (Eklavya Model Residential School) ખોલવામાં આવશે. આ માટે બજેટ 20 કરોડથી વધારીને 38 કરોડ કરવામાં આવ્યું છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">