યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જીઓલોજિસ્ટ ભરતી પરીક્ષા 2022 સંબંધિત એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. UPSC ભરતી દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, જીઓલોજિસ્ટની ભરતી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જીઓલોજિસ્ટની ભરતી માટેની પ્રિલિમ પરીક્ષા ફેબ્રુઆરી 2023માં લેવામાં આવશે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ આ ખાલી જગ્યા માટે અરજી કરી હતી તેઓ યુપીએસસીની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષાની વિગતો ચકાસી શકે છે.
UPSC દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા આ વર્ષે કુલ 285 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા 21 સપ્ટેમ્બર 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોને અરજી કરવા માટે 11 ઓક્ટોબર 2022 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. અરજી કરેલા ઉમેદવારો નીચેની પરીક્ષાની તારીખપત્રક ચકાસી શકે છે.
UPSC કમ્બાઈન્ડ જીઓ-સાયન્ટિસ્ટ 2023 પ્રિલિમ્સ પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ પરીક્ષાના ત્રણ અઠવાડિયા પહેલા ઓફિશિયલ વેબસાઇટ – upsc.gov.in અને upsconline.nic.in પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પરીક્ષાના આયોજન માટે અમદાવાદ, બેંગલુરુ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, કટક, દિલ્હી, મુંબઈ, દિસપુર, હૈદરાબાદ, પ્રયાગરાજ, પટના અને અન્ય સહિત વિવિધ પરીક્ષા કેન્દ્રો સ્થાપિત બનાવવામાં આવ્યા છે.
UPSC દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જીઓલોજિસ્ટ ભરતી દ્વારા ઘણી અલગ-અલગ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જીઓલોજિસ્ટ ગ્રુપ Aની 216 જગ્યાઓ પર ભરતી થશે. આ ઉપરાંત કેમિસ્ટ ગ્રુપ Aની 19 જગ્યાઓ અને સાયન્ટિસ્ટ Bની 29 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેમજ અન્ય 21 બેઠકો વિવિધ પોસ્ટ માટે છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 19 ફેબ્રુઆરી, 2023ના રોજ Geologist ભરતી પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી રહી છે. જે ઉમેદવારો પ્રિલિમ પરીક્ષામાં લાયક ઠરે તો તેઓ પછી મુખ્ય પરીક્ષામાં હાજર રહેશે. મુખ્ય પરીક્ષા પછી, પસંદ કરાયેલા ઉમેદવારો UPSC ભરતી પ્રક્રિયાના સ્ટેજ 3 પર જશે, જે ઇન્ટરવ્યુ અને પર્સનાલિટી ટેસ્ટ છે.