AICTE latest news: AICTEનો મોટો નિર્ણય, દેશમાં નહીં ખુલે નવી એન્જિનિયરિંગ કોલેજ, આ સમયમર્યાદા નક્કી કરવામાં આવી

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) એ 2024 સુધી દેશમાં નવી એન્જિનિયરિંગ કોલેજો ખોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. AICTEના અધ્યક્ષ અનિલ દત્તાત્રેય સહસ્રબુદ્ધેએ જણાવ્યું હતું કે, ભારતમાં આગામી બે વર્ષ સુધી નવી એન્જિનિયરિંગ કોલેજો ખોલવામાં આવશે નહીં.

AICTE latest news: AICTEનો મોટો નિર્ણય, દેશમાં નહીં ખુલે નવી એન્જિનિયરિંગ કોલેજ, આ સમયમર્યાદા નક્કી કરવામાં આવી
AICTE latest news
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 6:28 PM

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) એ 2024 સુધી દેશમાં નવી એન્જિનિયરિંગ કોલેજો ખોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. AICTEના અધ્યક્ષ અનિલ દત્તાત્રેય સહસ્રબુદ્ધેએ જણાવ્યું હતું કે, ભારતમાં આગામી બે વર્ષ સુધી નવી એન્જિનિયરિંગ કોલેજો ખોલવામાં આવશે નહીં.

તાજેતરમાં AICTEનું નામ શિક્ષક તાલીમ કાર્યક્રમ માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. AICTE એ શિક્ષણ સાથે સંબંધિત દેશની પ્રથમ આવી સંસ્થા છે, જેનું નામ સતત 2 વર્ષથી આ કાર્યક્રમ માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ રહ્યું છે. ડો.અનિલ સહસ્ત્રબુદ્ધેએ જણાવ્યું કે, હાલમાં નવી એન્જિનિયરિંગ કોલેજોની જરૂર નથી, તેથી દેશમાં આગામી 2 વર્ષ સુધી એટલે કે 2024 સુધી નવી એન્જિનિયરિંગ કોલેજો ખોલવામાં આવશે નહીં.

નવી કોલેજ પર પ્રતિબંધ

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) 2020 માં ભારતભરની ઈજનેરી સંસ્થાઓમાં 45% સીટ ખાલી હોવાના અહેવાલને ધ્યાનમાં રાખીને, દેશમાં નવી એન્જિનિયરિંગ સંસ્થાઓ પરના પ્રતિબંધને 2024 સુધી વધુ બે વર્ષ માટે લંબાવશે. 17 ડિસેમ્બરે નાગપુરમાં મળેલી બેઠકમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી

છેલ્લા પાંચ વર્ષમાં એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશમાં ઘટાડો થયો છે. આમાં, સત્ર 2015-16માં 30 લાખ બેઠકો (સ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએશન અને ડિપ્લોમા)માંથી, 2020-21 શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ ક્ષમતા ઘટીને 2.4 મિલિયન થઈ ગઈ છે. તે જ સમયે, AICTEએ જણાવ્યું હતું કે 2021 માં 63 સંસ્થાઓને બંધ કરવા માટેની અરજીઓ સ્વીકારવામાં આવી છે, જ્યારે 32 સંસ્થાઓએ મંજૂરી પાછી ખેંચવા માટે અરજી કરી હતી અને દેશભરની 500 સંસ્થાઓએ મંજૂરી ચાલુ રાખવા માટે અરજી કરી નથી.

નિષ્ણાતો કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. મહારાષ્ટ્રમાં, આ વર્ષે BTech (ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ ડિગ્રી) એપ્લિકેશન્સમાં લગભગ 15% નો વધારો થયો છે. વર્ષ 2020 માં 96,333 પ્રવેશ નોંધણીઓમાંથી, આ વર્ષે પુષ્ટિ થયેલ અરજીઓ 1.1 લાખ હતી. આ વર્ષે રાજ્યમાં B.Tech કોર્સની કુલ પ્રવેશ ક્ષમતા 1.3 લાખ છે. તે જ સમયે, ડૉ. અનિલ સહસ્ત્રબુદ્ધેએ એમ પણ કહ્યું કે આજે પણ એન્જિનિયરિંગ કોલેજોમાં 50 ટકાથી વધુ બેઠકો ખાલી છે.

આ પણ વાંચો: GATE Exam 2022: ગેટ 2022 પરીક્ષાનું સમયપત્રક આવી ગયું છે, આ તારીખે મળશે એડમિટ કાર્ડ

આ પણ વાંચો: આ શાળાઓમાં ભણાવવામાં આવશે ભગવત ગીતા, 25 ડિસેમ્બરથી શરૂ થશે વર્ગો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">