AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agniveer Recruitment 2023: એપ્રિલમાં યોજાશે અગ્નિવીર ભરતીની પરીક્ષા, જાણો કેવી રહેશે આ વખતે પરીક્ષાની પેટર્ન

અગ્નિવીર ભરતી માટે રેલી મુજબ અરજીઓ લેવામાં આવી રહી છે. યુપી અને બિહારમાં યોજાનારી સેનાની રેલી માટેની અરજી પ્રક્રિયા 16 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2023 સુધી ચાલશે. આ જગ્યા માટેની પરીક્ષા 17મી એપ્રિલે યોજાશે.

Agniveer Recruitment 2023: એપ્રિલમાં યોજાશે અગ્નિવીર ભરતીની પરીક્ષા, જાણો કેવી રહેશે આ વખતે પરીક્ષાની પેટર્ન
Big update on Agniveer recruitment
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 8:18 AM
Share

અગ્નિવીર ભરતી 2023: ભારતીય સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના ગયા વર્ષે બહાર પાડવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારતીય સેનામાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવી રહી છે. આ વર્ષે અગ્નિવીરોની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, જે યુવાનો સેનામાં ભરતી માટે અરજી કરવા માગે છે, તેઓ સત્તાવાર વેબસાઇટ joinindianarmy.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ વર્ષે પસંદગી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ પસંદગી પ્રક્રિયાને સારી રીતે સમજવી આવશ્યક છે. અગ્નિવીર ભરતી માટે રેલી મુજબ અરજીઓ લેવામાં આવી રહી છે. યુપી અને બિહારમાં યોજાનારી સેનાની રેલી માટેની અરજી પ્રક્રિયા 16 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2023 સુધી ચાલશે. આ જગ્યા માટેની પરીક્ષા 17મી એપ્રિલે યોજાશે.

અગ્નિવીર પરીક્ષા પેટર્ન

  1. અગ્નિવીર ભરતી માટેની પરીક્ષા ઓનલાઈન લેખિત પરીક્ષા અને શારીરિક કસોટીના આધારે લેવામાં આવશે.
  2. ઓનલાઈન પરીક્ષા ઓબ્જેક્ટિવ મોડમાં હશે. આમાં કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે.
  3. અગ્નિવીર ભરતી પરીક્ષામાં 50 પ્રશ્નોના જવાબ આપવા માટે 1 કલાકનો સમય છે. 100 પ્રશ્નો માટે 2 કલાક રહેશે.
  4. આ પરીક્ષા નેગેટિવ માર્કિંગ સિસ્ટમથી લેવામાં આવશે. દરેક સાચા પ્રશ્ન માટે સંપૂર્ણ ગુણ આપવામાં આવશે. સાથે જ ખોટા જવાબ માટે .25 ટકા માર્કસ કાપવામાં આવશે.
  5. આ પરીક્ષા પાસ કરવા માટે 35 માર્ક્સ મેળવવા ફરજિયાત છે.

અગ્નિવીર પસંદગી પ્રક્રિયા

અગ્નિવીર ભરતી માટે, હવે ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામ (સીઈઈ)માં હાજર રહેવું પડશે. આમાં પસંદગી પામેલા ઉમેદવારોની શારીરિક તંદુરસ્તી અને મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે. પ્રથમ શારીરિક કસોટી બાદ લેખિત કસોટી લેવામાં આવી હતી. વધુ વિગતો માટે સત્તાવાર સૂચના જુઓ.

અગ્નિવીર ભરતી માટે ઝોન મુજબ રેલીઓનું આયોજન કરવામાં આવશે. એક ઝોનમાં અનેક જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંબંધિત જિલ્લાના રહેવાસીઓ તેમના ઝોનમાં જ હાજર થઈ શકશે. તમે સત્તાવાર સૂચનામાં બિહાર અને યુપીમાં અગ્નિવીર રેલીની વિગતો જોઈ શકો છો.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">