તમે આધાર કાર્ડમાં વારંવાર નામ બદલી નહિ શકો, જાણો તમને કયા અપડેટ માટે કેટલી મળે છે તક

આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, સરનામું, મોબાઈલ નંબર, લિંગ વગેરે માહિતી બદલવાની સુવિધા પૂરી પાડે છે. જો કે આમાંના કેટલાક મહત્વપૂર્ણ ઘટકોને વારંવાર બદલી શકાતા નથી.

તમે આધાર કાર્ડમાં વારંવાર નામ બદલી નહિ શકો, જાણો તમને કયા અપડેટ માટે કેટલી મળે છે તક
Symbolic Image
| Edited By: | Updated on: Mar 19, 2022 | 9:50 AM

આધાર કાર્ડ ( Aadhaar Card )આજે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડ અન્ય દસ્તાવેજોથી અલગ છે જેમાં તે નાગરિકોની બાયોમેટ્રિક માહિતી રેકોર્ડ કરે છે. આધારની વધતી જતી ઉપયોગીતાને કારણે તેને અપડેટ રાખવું જરૂરી છે.આધાર(Aadhaar) બનાવતી વખતે વખત ઘણી વિગતો ભૂલથી ખોટી દાખલ કરવામાં આવે છે અથવા તે અધૂરી હોય છે. આ કારણે તમને પાછળથી આધાર કાર્ડ(Aadhaar card)નો ઉપયોગ કરતી વખતે ધણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી આધારમાં તમામ માહિતી સાચી હોવી મહત્વપૂર્ણ છે. આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, સરનામું, મોબાઈલ નંબર, લિંગ વગેરે માહિતી બદલવાની સુવિધા પૂરી પાડે છે. જો કે આમાંના કેટલાક મહત્વપૂર્ણ ઘટકોને વારંવાર બદલી શકાતા નથી. તો જાણો કે આધાર કાર્ડ માં કયું અપડેટ કેટલી વાર કરી શકો છો.

બે વાર નામ બદલી શકો છો

જો આધાર કાર્ડમાં નામના સ્પેલિંગમાં કોઈ ભૂલ હોય અથવા મહિલાઓ લગ્ન પછી તેમની અટક બદલવા માંગતી હોય તો તે આમ કરી શકે છે. UIDAI નું નામ ઓનલાઈન અથવા ઓફલાઈન બદલી શકાય છે. જો કે આધાર કાર્ડમાં નામ અપડેટ ફક્ત બે વાર જ કરી શકાય છે.

આ માહિતી માત્ર એક જ વાર બદલાય છે

ઘણા આધાર કાર્ડ બનાવતી વખતે જાતિ ખોટી રીતે દાખલ કરવામાં આવી હોઈ છે. UIDAI ના નિયમો મુજબ આ બદલી શકાય છે. તમને આધાર કાર્ડમાં જેન્ડર અપડેટ કરવાની માત્ર એક તક મળશે.

જન્મ તારીખ બદલવાની માત્ર એક તક છે

UIDAI દ્વારા બનાવવામાં આવેલા નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ ના આધાર કાર્ડમાં ખોટી જન્મતારીખ દાખલ કરે છે, તો તેને ફક્ત એક જ વાર અપડેટ કરી શકાય છે. તે પછી તેને કોઈપણ રીતે બદલી શકાશે નહીં.

આ માહિતી ગમે ત્યારે બદલી શકાય છે

આધારમાં તમે તમારા ઘરનું સરનામું, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ફોટો, ફિંગરપ્રિન્ટ અને રેટિના સ્કેન વારંવાર અપડેટ કરી શકો છો. તેમને અપડેટ કરવા માટે કોઈ નિર્ધારિત મર્યાદા નથી.

 

આ પણ વાંચો : રિઝર્વ બેંક Paytm ને કેમ શંકાની નજરે જોઈ રહી છે, જાણો શું છે મામલો

આ પણ વાંચો : બજેટ લાભ ઘણા વર્ષો સુધી મળશે, ખાનગી ક્ષેત્ર માટે રોકાણ વધારવું આવશ્યક : RBI