
જ્યારે પણ સૌથી ધનવાન લોકોની વાત આવે ત્યારે ગુજરાતી ઉધોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણીનું નામ સૌપ્રથમ આવે છે. ગુજરાતીઓ વ્યાપાર ક્ષેત્રે હમેશાં અગ્રેસર હોય છે. ગુજરાતીઓનો વ્યવસાય સાથે વર્ષો જૂનો નાતો છે. ગુજરાતીઓને શરૂઆતથી જ બિઝનેસનો માહોલ મળ્યો છે. ગુજરાતીઓ સારા બિઝનેસમેન હોવાની કહાની ઈતિહાસ સાથે જોડાયેલી છે. આજે અમે તમને જણાવીશું કે, ગુજરાતીઓ વ્યવસાય ક્ષેત્રે આગળ કેમ છે ? ગુજરાતીઓનો વ્યવસાય સાથે જૂનો નાતો ભારતમાં અંગ્રેજો પહેલા પણ જે વિદેશીઓ આવ્યા તે વ્યવસાય કરવાના ઉદ્દેશથી આવતા હતા. એ વખતે લોકો એક દેશથી બીજા દેશ જવા માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ કરતા હતા. ગુજરાત સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવે છે, એ વખતે જ્યારે વિદેશીઓ ભારતમાં આવતા ત્યારે ગુજરાતમાંથી પણ પ્રવેશ કરતા અને ટ્રાન્સપોર્ટેશન સરળતાથી થઈ શકે તેથી વિદેશીઓએ ગુજરાતમાં વ્યવસાય કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી ગુજરાતીઓ વ્યવસાય વિશે શીખતા આવ્યા છે. ગુજરાતમાં મોટાભાગે લોકો વરસાદ આધારિત ખેતી કરતા હતા. પાણીની સમસ્યાના કારણે ખેતીવાડી ઓછી થતી ગઈ અને લોકો બિઝનેસ તરફ વળ્યા. બીજા વિશ્વ યુદ્ધ પછી...