જો લોન લેનાર મૃત્યુ પામે તો બાકીના પૈસા કોણે ચૂકવવા પડશે? જાણો નિયમ શું કહે છે

|

Oct 06, 2021 | 10:19 PM

ભલે ગમે તે પ્રકારની લોન હોય પણ જો લેનારાનું મૃત્યુ થાય તો તેની બેંક પર અસર થતી નથી. બેંક કોઈ પણ સંજોગોમાં તેના પૈસા વસૂલ કરશે. મૃત્યુ પછી લોનની ચુકવણી સંબંધિત દરેક લોન માટે અલગ અલગ નિયમો છે.

જો લોન લેનાર મૃત્યુ પામે તો બાકીના પૈસા કોણે ચૂકવવા પડશે? જાણો નિયમ શું કહે છે
Symbolic Image

Follow us on

જો કોઈએ લોન લીધી હોય અને તેનું મૃત્યુ થાય તો બેંક તે લોનનું શું કરે છે? આ એક કુતુહુલ વાળો પ્રશ્ન છે. પણ આ માહિતી જાણવું ખુબ જરૂરી છે.લોન આપણા પૈકી મોટાભાગના લોકોએ લીધી હોય છે ત્યારે આ લેખમાં અમે જણાવીશું આવી કોઈ પણ પરિસ્થિતિમાં બેંકના લેણાં કોણ ચૂકવે છે. શું તેના અનુગામીએ બાકીની લોન ચૂકવવી પડશે અથવા આ માટે કોઈ અન્ય નિયમ છે?

ભલે ગમે તે પ્રકારની લોન હોય પણ જો લેનારાનું મૃત્યુ થાય તો તેની બેંક પર અસર થતી નથી. બેંક કોઈ પણ સંજોગોમાં તેના પૈસા વસૂલ કરશે. મૃત્યુ પછી લોનની ચુકવણી સંબંધિત દરેક લોન માટે અલગ અલગ નિયમો છે. હોમ લોનમાં આ નિયમો અલગ છે તો બીજી તરફ પર્સનલ લોન માટે પ્રક્રિયા અલગ રીતે કરવામાં આવે છે. તેથી તમારે દરેક લોન અનુસાર સમજવું પડશે તે પ્રકારની લોન લેનારના મૃત્યુ પછી લોન ચૂકવે છે.

જો હોમ લોન લેનારાનું મૃત્યુ થાય છે, તો સહ-અરજદાર અથવા બાંયધરી આપનાર મૃત્યુ પછી લોનની ચુકવણી માટે જવાબદાર છે. જો બંને ન હોય તો બેંક તે વ્યક્તિનો સંપર્ક કરશે જે લોન લેનારની મિલકતનો કાનૂની વારસદાર હશે. આ તમામ માર્ગો દ્વારા જો બેંકને લાગે કે તેની લોન ચૂકવવી શક્ય નથી તો તે તે મિલકતની હરાજી કરશે અને તેની બાકી રકમ મેળવશે. બદલાતા સમયમાં દરેક પ્રકારની લોનનો વીમો પણ લેવામાં આવે છે. બેંક આ વીમાનું પ્રીમિયમ ગ્રાહક પાસેથી જ ચૂકવે છે. આવી સ્થિતિમાં જો કોઈ લેનારાનું મૃત્યુ થાય છે તો બેંક વીમા કંપની પાસેથી પૈસા મેળવવાનો પણ વિકલ્પ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પર્સનલ લોનની વાત કરીએ તો તે બે પ્રકારની હોય છે. સુરક્ષિત અને બિન-સુરક્ષિત. સુરક્ષિત પર્સનલ લોન એફડી, મ્યુચ્યુઅલ ફંડ, વીમા પોલિસી સામેની લોન અથવા ગોલ્ડ લોન હોઈ શકે છે. આ લોનમાં બેંકને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. અસુરક્ષિત લોનના કિસ્સામાં જો લોન લેનાર મૃત્યુ પામે તો બેંક પહેલા લોન ગેરંટર અથવા સહ-અરજદારનો સંપર્ક કરે છે. જો કોઈ ગેરંટર નથી તો તે વારસદાર અને તેના પરિવારનો સંપર્ક કરે છે. ક્યારેક આવા કેસ કોર્ટ સુધી પણ પહોંચે છે.

વેહિકલ લોન એક પ્રકારની સુરક્ષિત લોન છે. કોઈ સ્થિતિમાં જો લોન લેનાર વ્યક્તિ મૃત્યુ પામે છે તો બેંક પરિવારના સભ્યોને લોન ચૂકવવા માટે કહે છે. જો તે લોન ન ભરે તો બેન્કો વાહન વેચીને લોનની રકમ વસૂલ કરે છે.

 

 આ પણ વાંચો :  Gold Price Today : રેકોર્ડ સ્તરથી 9500 રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું! જાણો આજના દેશ વિદેશના લેટેસ્ટ રેટ

 

આ પણ વાંચો : Aryan Khan Drugs Case ના કારણે ઘટી શકે છે Shahrukh Khan ની Brand Value! SRK અભિનીત કોર્મશીયલ્સની સંખ્યામાં ઘટાડો

Next Article