Moonlighting શું છે ? જેના કારણે વિપ્રોમાં 300 લોકોએ નોકરી ગુમાવી છે

|

Sep 22, 2022 | 11:31 AM

વિપ્રો કંપનીએ Moonlightingના આરોપમાં આટલી મોટી કાર્યવાહી કરી છે. વિપ્રોના ચેરમેન રિષદ પ્રેમજીએ તેને કંપની સાથે છેતરપિંડી ગણાવી છે.

Moonlighting શું છે ? જેના કારણે વિપ્રોમાં 300 લોકોએ નોકરી ગુમાવી છે
Moonlight

Follow us on

ભારતની સૌથી મોટી આઈટી કંપનીઓમાંની એક વિપ્રોએ બુધવારે તેના 300 કર્મચારીઓને નોકરીમાંથી છુટ્ટા કર્યા છે. વિપ્રો કંપનીએ મૂનલાઇટિંગના આરોપમાં આટલી મોટી કાર્યવાહી કરી છે. Wiproના ચેરમેન રિષદ પ્રેમજીએ તેને કંપની સાથે છેતરપિંડી ગણાવી છે. રિષદ પ્રેમજીએ જણાવ્યું હતું કે વિપ્રોના પેરોલ પર હોય ત્યારે મૂનલાઇટિંગ કરનારા કોઈપણ કર્મચારી માટે કંપનીમાં કોઈ સ્થાન નથી. આવી સ્થિતિમાં સવાલો સામે આવવા લાગ્યા છે કે આ Moonlightingની શું છે જેના કારણે લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે.

વિપ્રોના વડા રિષદ પ્રેમજી તેની શરૂઆતથી જ મૂનલાઇટિંગના સખત ટીકાકાર રહ્યા છે. આ વખતે ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનના એક કાર્યક્રમમાં તેમણે ટ્વીટ કરીને આ વિશે વાત કરી હતી. ચાલો સમજીએ કે મૂનલાઇટિંગ શું છે.

મૂનલાઇટિંગ શું છે?

મૂનલાઇટિંગની વ્યાખ્યા વિશે વાત કરીએ તો, તે એક અલગ પ્રકારનું કામ છે. જ્યારે કોઈ કર્મચારી તેની નિશ્ચિત નોકરીમાં તેમજ અન્ય જગ્યાએ ગુપ્ત રીતે કામ કરે છે, ત્યારે તેને મૂનલાઇટિંગ કહેવામાં આવે છે. સરળ ભાષામાં તમે તેને બીજી નોકરી પણ કહી શકો. મોટાભાગની કંપનીઓ તેને અનૈતિક માને છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આઇટી ઉદ્યોગમાં મૂનલાઇટિંગ ચર્ચાનો વિષય બની ગયો છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન ઘરેથી કામ કરવું એ સામાન્ય ધોરણ બની ગયું છે, જેને કારણે બેવડી રોજગારી થઈ હોવાનું માનવામાં આવે છે.

ઇન્ફોસિસ પહેલા ચેતવણી આપે છે, બાદમાં એક્શન લે છે

આઇટી જાયન્ટ ઇન્ફોસિસે મૂનલાઇટિંગને ખોટું ગણાવ્યું હતું અને તેના કર્મચારીઓને તેનાથી દૂર રહેવા કહ્યું હતું. જો તેઓ મૂનલાઇટિંગમાં જોવા મળે તો તેમને તેમની નોકરી ગુમાવવી પડી શકે છે.

તે જ સમયે, ટેક મહિન્દ્રાના સીઈઓ સીપી ગુરુનાનીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આવી કોઈપણ વ્યવસ્થામાં તેમને કોઈ સમસ્યા નથી. જો કોઈ કર્મચારી પોતાનું કામ પૂરું કર્યા પછી વધારાનું કામ કરીને પૈસા કમાવા માંગતો હોય તો તેને તે કરવાની છૂટ આપવી જોઈએ. તેને છેતરપિંડી ન કહી શકાય.

Next Article