AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો નથી ચૂકવી શકતા ક્રેડિટ કાર્ડનું બિલ તો શું થશે? ડરવાની જરૂર નથી, જાણો તમારા આ અધિકાર

જો તમે હપ્તો નથી ચૂકવી શકતા તો પહેલા બેંક કેટલીક નોટીસ મોકલશે. અને નોટીસમાં લોન ચૂકવવા ટાઈમ આપવામાં આવે છે. જાણો ત્યાર બાદની શું છે પ્રક્રિયા.

જો નથી ચૂકવી શકતા ક્રેડિટ કાર્ડનું બિલ તો શું થશે? ડરવાની જરૂર નથી, જાણો તમારા આ અધિકાર
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Jun 04, 2021 | 12:06 PM
Share

કોરોનાએ સામાન્ય લોકોના જીવન પર ભરડો લીધો છે. મહામારીમાં બીમારીએ હંફાવ્યા છે તો આર્થિક તંગીએ કમર તોડી છે. ઘણા લોકોના ધંધા ઠપ પડ્યા છે તો ઘણા નોકરીથી હાથ ધોઈ બેઠા છે. આવામાં EMI અને ક્રેડીટ કાર્ડના બીલ માથે રાક્ષસ બનીને નાચતા હોય છે. આર્થિક મુશ્કેલીના કારણે ઘણીવાર તમને ક્રેડીટ કાર્ડના બીલ ચુકવવામાં અસમર્થ રહો છો. આવામાં ઘણા લોકો પોતાની વ્યથા સોશિયલ મીડિયામાં પણ શેર કરે છે. જેમાં દાવો કરવામાં આવે છે કે ક્રેડીટ કાર્ડના બીલ વસુલવાના નામે ગ્રાહકો સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે.

આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે ક્રેડિટ કાર્ડનું બિલ નહીં ભરવાની સ્થિતિમાં એજન્ટો રિકવરીના નામે શું કોઈપણ પદ્ધતિનો આશરો લઈ શકે છે? કે ક્રેડિટ કાર્ડનું બિલ મર્યાદામાં ચૂકવવાનું કહી શકાય કે નહીં? ઉપરાંત આવી સ્થિતિમાં તમારા અધિકારો શું છે અને જો તમે બિલ ચૂકવવા સક્ષમ ન હોવ તો તમે શું કરી શકો છો.

ક્રેડીટ કાર્ડનું બીલ ના ચૂકવ્યું તો?

જો ગ્રાહક સમયસર બિલ ચૂકવવા સક્ષમ ન હોય તો બેંક તેની સામે ઘણી રીતે કાર્યવાહી કરી શકે છે. વળી બેંક ગ્રાહક સામે કાનૂની રીતે ફરિયાદ પણ નોંધાવી શકે છે અને તમારે કોર્ટમાં પણ જવું પડી શકે છે. આવી સ્થિતિમાં તમને પહેલા ડિફોલ્ટર જાહેર કરવામાં આવે છે અને ક્રેડિટ કાર્ડને પણ બ્લોક કરી દેવામાં આવે છે.

આ પછી પણ જો બિલ ચૂકવવામાં નથી આવતું તો બેંક રિકવરી એજન્ટને તમારા ઘરે પણ મોકલી શકે છે. અને કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે. આ ઉપરાંત આ સમગ્ર પ્રક્રિયામાં તમારા CIBIL સ્કોર પર પણ ઘણી અસર પડી શકે છે.

તમારા પાસે છે કયા અધિકાર?

સૌથી પહેલા તમે બિલ બાકી હોવાની સ્થિતિમાં તમે ન્યૂનતમ ચૂકવણી કરી શકો છો. જો તમે આ પણ કરવામાં અસમર્થ છો તો તમારે કસ્ટમર કેરમાં વાત કરવી જોઈએ. આ પછી તમને કોઈ વિકલ્પ અથવા સમય આપવામાં આવી શકે છે અને તમને સરળતાથી ચૂકવણી કરવાનો સમય મળે છે.

આ વાત જાણી લો કે જો બીલ ના ચૂકવી શકો તો કોઈ કર્મચારી તમને ધમકાવી શકે નહીં. અને ના તમને શારીરિક નુકસાન પહોંચાડી શકે છે. તમારી સાથે ખોટો વ્યવહાર પણ તેઓ કરી શકે નહીં.

બની શકે કે ઉઘરાણી માટે તે થર્ડ પાર્ટીને તમારી પાસે મોકલે. પરંતુ તેઓ માત્ર તમને ચૂકવણી કરવાનું જ કહી શકે છે. કોઈ નુકશાન પહોંચાડી શકે નહીં.

ઉઘરાણી માટે આ લોકો માત્ર દિવસમાં જ આવી શકે છે. તેઓ રાત્રે તમારા ઘરે કે તમારી પાસે આવી શકે નહીં. તેમની પણ કામ કરવાની કેટલીક હદ હોય છે.

જો તમે હપ્તો નથી ચૂકવી શકતા તો પહેલા બેંક કેટલીક નોટીસ મોકલશે. અને નોટીસમાં લોન ચૂકવવા ટાઈમ આપવામાં આવે છે. રીકવરી એજન્ટ પણ નાણા ચૂકવવા માટે કેટલાક દિવસનો સમય આપે છે. ત્યાર બાદ કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. જો કે લોન માટે સંપતિ ગીરવે રાખવામાં આવે છે તેની હરાજી કરીને બેંક પોતાના પૈસા તેમાંથી વસુલી શકે છે. એટલું જ નહીં ટે ઉપરના પૈસા તમને પાછા પણ આપે છે.

આ પણ વાંચો: જો પરિવારમાં સભ્યોને વેક્સિન લેવાની બાકી હોય, ત્યારે કેવી રીતે રાખશો તેમનું ધ્યાન?

આ પણ વાંચો: ભારતીય કુર્તીને 2.5 લાખમાં વેચી રહી છે આ કંપની, લોકોએ મજેદાર કોમેન્ટ કરીને ઉડાવી મજાક, વાંચો

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
g clip-path="url(#clip0_868_265)">