વેપારીઓએ સરકારને ઈ-કોમર્સ નિયમો હળવા ન કરવાની કરી માંગ, CAITએ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલને લખ્યો પત્ર

જો નિયમમાં કોઈ છૂટછાટ આપવામાં આવે છે તો દેશભરમાં એવું માનવામાં આવશે કે સરકાર પર વિદેશી ઈ-કોમર્સ કંપનીઓનું (e-commerce companies) સંપૂર્ણ દબાણ છે.

વેપારીઓએ સરકારને ઈ-કોમર્સ નિયમો હળવા ન કરવાની કરી માંગ, CAITએ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલને લખ્યો પત્ર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 8:00 PM

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ રવિવારે વાણિજ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પીયૂષ ગોયલને (Piyush Goyal) પત્ર મોકલ્યો હતો, જેમાં ભારતમાં ઈ-કોમર્સ નિયમોમાં કોઈ છૂટછાટ ન આપવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું છે કે જો નિયમમાં કોઈ છૂટછાટ આપવામાં આવે છે તો દેશભરમાં એવું માનવામાં આવશે કે સરકાર પર વિદેશી ઈ-કોમર્સ કંપનીઓનું (e-commerce companies) સંપૂર્ણ દબાણ છે. જેનો સંદેશ વેપારી વર્ગમાં સારો નહીં જાય.

તેમણે કહ્યું કે દેશભરના વેપારીઓ વિદેશી ઈ-કોમર્સ દ્વારા પહેલાથી જ ઘણી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે અને ઘણા વૈશ્વિક ઈ-કોમર્સ દિગ્ગજો દ્વારા કાયદાઓ અને નિયમોના મોટાપાયે ઉલ્લંઘન અને સંબંધિત એજન્સીઓને તેમની સામે પગલાં લેવા માટે સરકાર દ્વારા કાર્યવાહીના એકંદર અભાવથી વેપારી સમુદાય ખૂબ જ નારાજ છે.

કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે રવિવારે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે આ ખૂબ જ અફસોસની વાત છે કે બે વર્ષથી વધુ સમયથી વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર પિયુષ ગોયલની ઘણી કડક અને સ્પષ્ટ ચેતવણીઓ છતાં ઈ-કોમર્સ કંપનીઓ સરકારના નાક નીચે નિયમો અને કાયદાઓનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરી રહી છે. જેણે એક રીતે દેશના ઈ-કોમર્સ બિઝનેસમાં ‘માય વે અથવા હાઈવે’ જેવી સ્થિતિ સર્જી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

છૂટછાટથી વેપારીઓને ખોટો સંદેશ જશેઃ CAIT

ભરતિયા અને ખંડેલવાલે જણાવ્યું હતું કે દેશભરના વેપારીઓનો સ્પષ્ટ અભિપ્રાય છે કે ગ્રાહક ધારા હેઠળ સૂચિત ઈ-કોમર્સ નિયમોમાં કોઈપણ છૂટછાટ મળવાથી દેશભરમાં સંદેશ જશે કે સરકાર કેટલાક છુપાયેલા દબાણ આગળ ઝુકી ગઈ છે અને ઈ-કોમર્સ લેન્ડસ્કેપને વૈશ્વિક સ્તરે તોડી મરોડીને વિદેશી કંપનીઓને મનમાની કરવા માટે પીરસવામાં આવ્યું છે. તેણે કહ્યું કે આવી કોઈપણ છૂટછાટ ભારતના બંધારણ દ્વારા દેશના લોકોને આપવામાં આવેલી વેપારની લોકશાહી સ્વતંત્રતાની વિરુદ્ધ છે.

ભરતિયા અને ખંડેલવાલે કહ્યું કે કેટલાક લોકો અને ખૂબ જ મર્યાદિત સરકારી એજન્સીઓનું કહેવું છે કે આ નિયમોમાં કોઈ પણ કડકાઈથી વિદેશી રોકાણ ભારતમાં પ્રવેશવાની સંભાવનાને બગાડશે, તે તદ્દન ખોટું છે. ઈ-કોમર્સના માધ્યમથી કોઈ પણ એફડીઆઈ ભારતમાં પ્રવેશ નથી કરી રહ્યું, પરંતુ એફડીઆઈની આડમાં આવનારા પૈસાનો ઉપયોગ ઈ-કોમર્સ કંપનીઓ કેશ બર્નિંગ અથવા તેમના દ્વારા કરવામાં આવેલા મોટા નુકસાનની ભરપાઈ કરવા માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ભારતમાં ઈ-કોમર્સ લોકશાહી સાથે જરા પણ બાંધછોડ થવી જોઈએ નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2019માં પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવેલા ઈ-કોમર્સ નિયમોના ડ્રાફ્ટ પર વ્યાપક ચર્ચા-વિચારણા થઈ છે, જે દરમિયાન કેટલીક સરકારી એજન્સીઓએ ઉપરોક્ત નિયમોમાં સમાવિષ્ટ અમુક કલમો સામે વાંધો ઉઠાવ્યો છે, જે માત્ર ટેક્નિકલ છે.

જો કે વેપારીઓ આવા મંતવ્યો સાથે સહમત નથી, પરંતુ તેમ છતાં CAITની વિનંતી છે કે ઈ-કોમર્સ નિયમોના ડ્રાફ્ટમાં પરીકલ્પીત આવી જોગવાઈને સામેલ કર્યા બાદથી અથવા તો ઈ-કોમર્સ નિયમોમાં અથવા ઈ-કોમર્સ નીતિમાં અથવા તો એફડીઆઈ નીતીમાં  ફરજિયાતપણે સમાવેશ કરવો જોઈએ. ભારતમાં સમાન સ્તરનું ઈ-કોમર્સ વ્યાપાર મેળવવા માટે ઈ-કોમર્સને એક સમયબદ્ધ રીતે સુનિશ્ચિત કરવાની જરૂર છે.

આ પણ વાંચો : કોરોનામાં રેલવેને તગડી કમાણી! જાણો તત્કાલ, પ્રિમીયમ તત્કાલ ટિકિટ દ્વારા કેટલા કરોડની કરી કમાણી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">