દેશની સામાન્ય જનતાને રાહત આપવા માટે સરકાર જલ્દી જ ગેસની કિંમતને લઈને કોઈ નિર્ણય લઈ શકે છે. કેન્દ્ર સરકાર ગેસ સસ્તો કરવા માટે પ્લાન બનાવી રહી છે. આ પ્લાનને કારણે એલપીજી અને સીએનજી બંને ગેસની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા છે. છેલ્લા કેટલાક સમયથી ગેસની કિંમતમાં વધારાને કારણે લોકો પર બોજ વધી રહ્યો છે.
ગેસના ભાવની મર્યાદા નક્કી થઈ શકે છેઃ કમિટી દ્વારા ગેસના ભાવની નિયંત્રણ કરવા માટે એક આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત જાહેર ક્ષેત્રની કંપનીઓના જૂના ક્ષેત્રમાંથી આવતા કુદરતી ગેસની કિંમત મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગેસ માટે ભલામણ કરવામાં આવી શકે તેવી સંભાવના છે. સરકારના આ નિર્ણયથી CNG અને PNG બંનેના ભાવમાં ઘટાડો થશે. જેના કારણે સામાન્ય જનતાને ઘણી રાહત થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર યોજના આયોગના પૂર્વ સભ્ય કિરીટ એસ પારેખની આગેવાની હેઠળની સમિતિ તેની બેઠક પર કામ કરી રહી છે અને તેને આખરી ઓપ આપી રહી છે. ધારણા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ કમિટી ટૂંક સમયમાં સરકારને પોતાનો રિપોર્ટ રજૂ કરી શકે છે.
અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર કમિટી 2 અલગ-અલગ પ્રકારની પ્રાઈસિંગ સિસ્ટમને પ્રોત્સાહન અંગે વિચારી રહ્યા છે, આ સાથે ઓએનજીસી અને ઓઆઈએલ ઈન્ડિયા લિમિટેડના જૂના ક્ષેત્રોમાંથી નીકળતા ગેસના ભાવની કિંમતની મર્યાદા નક્કી કરવાની વાત થઈ રહી છે.
લોકોને રાહત આપવા મુશ્કેલ વિસ્તારો માટે અલગ-અલગ ફોર્મ્યુલા પણ સૂચવવામાં આવી શકે છે. પ્રદેશ અનુસાર સરકાર અલગ-અલગ ફોર્મ્યુલા બનાવવા પર કામ કરી રહી છે. ઉપરાંત એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઉચ્ચ દરે ચુકવણીની હાલની ફોર્મ્યુલા જાળવી રાખવાની સંભાવના છે.
Published On - 5:17 pm, Mon, 28 November 22