LTC પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે વિદેશ યાત્રાના નામે નહીં મળે લાભ

|

Nov 08, 2022 | 3:05 PM

Foreign Tour : હવે કોઈપણ કર્મચારીને વિદેશ પ્રવાસ માટે Leave Travel Concession (LTC)નો લાભ આપવામાં આવશે નહીં. એટલે કે હવે કર્મચારીઓની વિદેશ યાત્રા માટે LTA પર TDS વસૂલવામાં આવશે. હવે કોઇ પણ કર્મચારીને નહીં મળે આ લાભ.

LTC પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે વિદેશ યાત્રાના નામે નહીં મળે લાભ
Supreme Court (file photo)

Follow us on

Supreme Court Decision : જો તમે વિદેશ પ્રવાસ કરો છો અને LTC સુવિધાનો લાભ લઈ રહ્યા છો, તો હવે તમે આ સુવિધાનો લાભ લઈ શકશો નહીં. કારણ કે ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા  વિરુદ્ધ મોટો નિર્ણય સંભળાવ્યો છે કે હવે કોઈ પણ કર્મચારીને વિદેશ પ્રવાસ માટે લીવ ટ્રાવેલ કન્સેશન (LTC)નો લાભ આપવામાં આવશે નહીં. એટલે કે, હવે કર્મચારીઓની વિદેશ યાત્રા માટે LTA પર TDS વસૂલવામાં આવશે, કારણ કે LTC માત્ર દેશની અંદર મુસાફરી માટે માન્ય છે. આના પર વિદેશ પ્રવાસ લાગુ પડતો નથી. દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે SBI દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ કોર્ટે ફગાવી દીધી છે.

ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત, જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે જણાવ્યું હતું કે કાયદાની જોગવાઈઓ જણાવે છે કે ભારતની અંદર બે પોઈન્ટ વચ્ચેનું હવાઈ ભાડું આપવામાં આવશે જે સૌથી ટૂંકો માર્ગ હશે.

LTC શું છે ?

લીવ ટ્રાવેલ કન્સેશન (LTA) એ એક પ્રકારનું ભથ્થું છે જે નોકરીદાતા દ્વારા કર્મચારીને મુસાફરી માટે આપવામાં આવે છે. જ્યારે તે કામ પરથી રજા પર હોય અને દેશની અંદર મુસાફરી કરી રહ્યા હોય. તો કંપનીઓ રજાઓ પર જવા માટે તેમના કર્મચારીઓને લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) આપે છે. તમારા માટે નક્કી કરેલ એલટીસીની રકમ આ પ્રવાસની કિંમત બતાવીને મેળવી શકાય છે. સરકાર એલટીસીના રૂપમાં ખર્ચવામાં આવેલા પૈસા પર ટેક્સમાં છૂટ પણ આપે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

LTC પર કર મુક્તિ માટે, ફક્ત તે જ મુસાફરી ખર્ચનો સમાવેશ કરી શકાય છે જે તેમના દેશ (ભારત) ની સરહદોની અંદર છે. ભલે તે હવાઈ મુસાફરી હોય. આમાં વિદેશ પ્રવાસના ખર્ચનો સમાવેશ કરી શકાય નહીં. તેના આધારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે.

કોર્ટે શું કહ્યું?

કોર્ટે આ બાબત પર ચુકાદો આપતાં અવલોકન કર્યું હતું કે આવકવેરા કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કર્મચારી જે ક્ષણે વિદેશ પ્રવાસ કરે છે, તે ભારતની અંદરની મુસાફરી નથી અને તેથી તેને કલમ 10(5)ની જોગવાઈઓ હેઠળ આવરી શકાય નહીં. ). આવકવેરા અધિનિયમ 1961 પગારદાર વર્ગને વિવિધ મુક્તિ પ્રદાન કરે છે. કાયદા હેઠળ પગારદાર વર્ગ માટે ઉપલબ્ધ અને કંપની દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી આવી મુક્તિમાંની એક લીવ ટ્રાવેલ એલાઉન્સ (LTA) / રજા યાત્રા કન્સેશન (LTC) છે.

Next Article