AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming IPO : 22 માર્ચે આવી રહી છે રોકાણ માટેની તક, જાણો યોજના વિશે વિગતવાર

Maiden Forgings IPO : કુલ 37,84,000 ઇક્વિટી શેર ઓફર કરવામાં આવશે જેમાંથી અંદાજે 17,97,000 શેર યોગ્ય સંસ્થાકીય રોકાણકારો માટે, કુલ 5,39,100 શેર બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને બાકીના રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવશે.

Upcoming IPO : 22 માર્ચે આવી રહી છે રોકાણ માટેની તક, જાણો યોજના વિશે વિગતવાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 7:53 AM
Share

Maiden Forgings : જો તમે પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે IPOમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરો છો, તો તમારા માટે એક તક આવી રહી છે. આવતા અઠવાડિયે રોકાણ માટે IPO ખુલવા જઈ રહ્યો છે. આ IPO મેઇડન ફોર્જિંગનો છે. કંપનીનો IPO આવતા અઠવાડિયે 22 માર્ચે ખુલશે. રોકાણકારો 24 માર્ચ સુધી તેમાં રોકાણ કરી શકશે. સ્ટીલ રોડ્સ અને વાયર ઉત્પાદક મેઇડન ફોર્જિંગ્સે શુક્રવારે જણાવ્યું હતું કે તે પ્રારંભિક જાહેર ભરણું -IPO દ્વારા રૂ. 24 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે IPO 22 થી 24 માર્ચ સુધી ખુલશે.

IPOની યોજના શું છે?

કુલ 37,84,000 ઇક્વિટી શેર ઓફર કરવામાં આવશે જેમાંથી અંદાજે 17,97,000 શેર યોગ્ય સંસ્થાકીય રોકાણકારો માટે, કુલ 5,39,100 શેર બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને બાકીના રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવશે.

બાબા રામદેવ FPO લાવશે

યોગ ગુરુ બાબા રામદેવના પતંજલિ ગ્રૂપની FMCG કંપની પતંજલિ ફૂડ્સ માત્ર એક વર્ષની અંદર તેનો બીજો FPO એટલે કે ફોલો ઓન ઑફર લાવવાની તૈયારી કરી રહી છે. બાબા રામદેવે પોતે આ માહિતી આપી છે. પતંજલિ ફૂડ્સના પ્રમોટરના શેર ફ્રીઝ કરવાના સ્ટોક એક્સચેન્જના નિર્ણય બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે. પતંજલિ ફૂડ્સ તેનો FPO લાવીને પબ્લિક શેરહોલ્ડિંગ ઘટાડીને 25 ટકા કરશે. એક નિવેદનમાં બાબા રામદેવે રોકાણકારો અને શેરધારકોને ખાતરી આપી હતી કે પતંજલિ ફૂડ્સ લિમિટેડની કામગીરી, નાણાકીય સ્થિતિ અને વૃદ્ધિ પર કોઈ અસર પડશે નહીં. તેમણે કહ્યું કે રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી. બાબા રામદેવે કહ્યું કે પતંજલિ ફૂડ્સ તેનો બીજો FPO લાવશે.

આ કંપનીનો IPO મોકૂફ રખાયો

સ્ટોક એક્સચેન્જોમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે અન્ય એક કંપનીએ IPO એટલેકે ઇન્શિયલ પબ્લિક ઑફરિંગ લાવવાનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી છે. મેડિકલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની Airox Technologies એ તેનો IPO પાછો ખેંચી લીધો છે. કંપની આઈપીઓ દ્વારા રૂપિયા 750 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી હતી.30 સપ્ટેમ્બર 2022ના રોજ Airox Technologies એ સૂચિત IPO લાવવા માટે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે શેરબજારના નિયમનકાર SEBI પાસે પ્રારંભિક દસ્તાવેજ ફાઈલ કર્યો હતો.

જ્વેલરી કંપનીએ આ નિર્ણય લીધો

આ સિવાય જ્વેલરી કંપની Joyalukkas India એવી બીજી કંપની છે જેણે IPO લાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. ફેબિન્ડિયાએ અગાઉ IPO દ્વારા $482.43 મિલિયન અથવા રૂ. 4000 કરોડ એકત્ર કરવાનું નક્કી કર્યું હતું. તેથી જોયાલુક્કાસ ઈન્ડિયા આઈપીઓ દ્વારા રૂ. 2,300 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી હતી. કંપનીએ ગયા વર્ષે સેબીમાં IPOનો DRHP ફાઇલ કર્યો હતો.

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">