Upcoming IPO : 22 માર્ચે આવી રહી છે રોકાણ માટેની તક, જાણો યોજના વિશે વિગતવાર

Maiden Forgings IPO : કુલ 37,84,000 ઇક્વિટી શેર ઓફર કરવામાં આવશે જેમાંથી અંદાજે 17,97,000 શેર યોગ્ય સંસ્થાકીય રોકાણકારો માટે, કુલ 5,39,100 શેર બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને બાકીના રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવશે.

Upcoming IPO : 22 માર્ચે આવી રહી છે રોકાણ માટેની તક, જાણો યોજના વિશે વિગતવાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 7:53 AM

Maiden Forgings : જો તમે પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે IPOમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરો છો, તો તમારા માટે એક તક આવી રહી છે. આવતા અઠવાડિયે રોકાણ માટે IPO ખુલવા જઈ રહ્યો છે. આ IPO મેઇડન ફોર્જિંગનો છે. કંપનીનો IPO આવતા અઠવાડિયે 22 માર્ચે ખુલશે. રોકાણકારો 24 માર્ચ સુધી તેમાં રોકાણ કરી શકશે. સ્ટીલ રોડ્સ અને વાયર ઉત્પાદક મેઇડન ફોર્જિંગ્સે શુક્રવારે જણાવ્યું હતું કે તે પ્રારંભિક જાહેર ભરણું -IPO દ્વારા રૂ. 24 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે IPO 22 થી 24 માર્ચ સુધી ખુલશે.

IPOની યોજના શું છે?

કુલ 37,84,000 ઇક્વિટી શેર ઓફર કરવામાં આવશે જેમાંથી અંદાજે 17,97,000 શેર યોગ્ય સંસ્થાકીય રોકાણકારો માટે, કુલ 5,39,100 શેર બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને બાકીના રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવશે.

બાબા રામદેવ FPO લાવશે

યોગ ગુરુ બાબા રામદેવના પતંજલિ ગ્રૂપની FMCG કંપની પતંજલિ ફૂડ્સ માત્ર એક વર્ષની અંદર તેનો બીજો FPO એટલે કે ફોલો ઓન ઑફર લાવવાની તૈયારી કરી રહી છે. બાબા રામદેવે પોતે આ માહિતી આપી છે. પતંજલિ ફૂડ્સના પ્રમોટરના શેર ફ્રીઝ કરવાના સ્ટોક એક્સચેન્જના નિર્ણય બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે. પતંજલિ ફૂડ્સ તેનો FPO લાવીને પબ્લિક શેરહોલ્ડિંગ ઘટાડીને 25 ટકા કરશે. એક નિવેદનમાં બાબા રામદેવે રોકાણકારો અને શેરધારકોને ખાતરી આપી હતી કે પતંજલિ ફૂડ્સ લિમિટેડની કામગીરી, નાણાકીય સ્થિતિ અને વૃદ્ધિ પર કોઈ અસર પડશે નહીં. તેમણે કહ્યું કે રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી. બાબા રામદેવે કહ્યું કે પતંજલિ ફૂડ્સ તેનો બીજો FPO લાવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ કંપનીનો IPO મોકૂફ રખાયો

સ્ટોક એક્સચેન્જોમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે અન્ય એક કંપનીએ IPO એટલેકે ઇન્શિયલ પબ્લિક ઑફરિંગ લાવવાનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી છે. મેડિકલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની Airox Technologies એ તેનો IPO પાછો ખેંચી લીધો છે. કંપની આઈપીઓ દ્વારા રૂપિયા 750 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી હતી.30 સપ્ટેમ્બર 2022ના રોજ Airox Technologies એ સૂચિત IPO લાવવા માટે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે શેરબજારના નિયમનકાર SEBI પાસે પ્રારંભિક દસ્તાવેજ ફાઈલ કર્યો હતો.

જ્વેલરી કંપનીએ આ નિર્ણય લીધો

આ સિવાય જ્વેલરી કંપની Joyalukkas India એવી બીજી કંપની છે જેણે IPO લાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. ફેબિન્ડિયાએ અગાઉ IPO દ્વારા $482.43 મિલિયન અથવા રૂ. 4000 કરોડ એકત્ર કરવાનું નક્કી કર્યું હતું. તેથી જોયાલુક્કાસ ઈન્ડિયા આઈપીઓ દ્વારા રૂ. 2,300 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી હતી. કંપનીએ ગયા વર્ષે સેબીમાં IPOનો DRHP ફાઇલ કર્યો હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">