ભારત સાથે સરહદ ધરાવતા દેશો માટે નિયમો બનાવાયા
ભારત સાથે સરહદ ધરાવતા દેશોની કંપનીઓ પર વધુ આકરી તપાસ નીતિ અપનાવવાની જાહેર અગાઉથીજ ભારત સરકારે કરી દીધી છે. સરકાર હજુ એક ડગલું આગળ વધી સરહદ ઉપર સતત તણાવની પરિસ્થિતિ રાખનાર ચીન અને પાકિસ્તાન સ્થિત કંપનીઓ માટે કેટલાક નિયમો લાવી છે.આ વિગતો કેમ માંગવામાં આવી રહી છે તે બાબતે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. પાડોશી દેશો અંગે જાહેર માર્ગદર્શિકા અનુસાર કોન્ટ્રાક્ટ્સ માટે મંજૂરી લેવી ફરજીયાત બનાવાઈ છે. મોબાઇલ ઉપકરણો અને લેપટોપની સપ્લાયથી લઈને કેટલાક ખાસ ઉપકરણોને પૂરા પાડવા અને દેશભરમાં રસ્તાઓ અને ટનલ બનાવવા માટેના કોન્ટ્રાક્ટનો પણ નિયમમાં સમાવેશ થઈ શકે છે.
ચીની કંપનીઓને ફટકો પડશે
આ પગલાની અસર ચીન ઉપર સૌથી વધુ દેખાશે. ચીનની કંપનીઓ દેશમાં પાવર પ્રોજેક્ટ્સ અને રોડ કન્સ્ટ્રક્શન કરે છે. સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં શાઓમી અને ઓપ્પો જેવી કંપનીઓભારતમાં સારો કારોબાર ધરાવે છે.આ કંપનીઓ ભારતમાં સ્માર્ટફોન સપ્લાય કરવાના કરાર માટે ટેન્ડરમાં ભાગ લે છે. ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને 5G જેવા બિઝનેસમાં Huawei અને ZTE જેવી કંપનીનો પ્રવેશ પણ સુરક્ષા મંજૂરી પર નિર્ભર રહેશે.
લદ્દાખ તનાવ બાદ ભારતનું કડક વલણ
ઉદ્યોગ અને આતંરિક વેપારના પ્રમોશન Department for Promotion of Industry and Internal Trade – DPIIT માટેના જાહેર કરવામાં આવેલ 14 પેજના ઓફિસ મેમેરેન્ડ લદ્દાખમાં ચીન દ્વારા સરહદ તણાવ વધારવામાં આવ્યા બાદ ચીનની કંપનીઓની તપાસ કરવાના સરકારના નિર્ણયનું કડક પાલન કરતું દેખાય છે. કંપનીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલા ડેટાના આધારે મુખ્ય સિક્યુરિટી અને DPIIT અધિકારીઓની બનેલી પેનલ દેશના પબ્લિક સેક્ટર બિઝનેસમાં આ કંપનીઓના પ્રવેશને મંજૂરી આપવી કે નહિ તેનો નિર્ણય લેશે. કંપનીના શેર હોલ્ડિંગમાં કોઈપણ પ્રકારના ફેરફારને વિદેશી કંપનીઓએ તાત્કાલિક ધોરણે ભારત સરકારને જાણ કરવી પડશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 3:29 pm, Fri, 23 October 20