ભારતીય રિઝર્વ બેન્કે (RBI) સુભદ્રા લોકલ એરીયા બેંક, કોલ્હાપુર (Subhadra Local Area Bank, Kolhapur)નું લાયસન્સ રદ કર્યુ છે. આરબીઆઈએ નિવેદન જારી કરીને જણાવ્યું કે બેન્ક પાસે એટલા રૂપિયા છે કે તે તેના બધા ડિપોઝિટર્સને ચૂકવણી કરી શકે છે.
આ માટે રદ થયું લાયસન્સ
રિઝર્વ બેન્કે (આરબીઆઈ) કહ્યું કે જો બેન્કનું કામકાજ આવી રીતે જ ચાલુ રાખવા દીધુ હોત, જે રીતે ચાલે છે તો ગ્રાહકોના હિતની વિરુદ્ધ થાત. આરબીઆઈ કહ્યું કે જો બેંકના આવા સંચાલનથી વર્તમાન અને ભવિષ્યનાં ડિપોઝિટર્સના હિતને નુકસાન થાત.
ડિપોઝિટર્સને મળશે સંપૂર્ણ પૈસા પાછા
ડિપોઝિટરને ચિંતા થાય ત્યારે રિઝર્વ બેંકે કહ્યું કે સુભદ્રા લોકલ એરિયા બેન્કના પાસે ડિપોઝિટર્સના પૈસા ચૂકવવા માટે યોગ્ય રૂપિયા છે. તેથી ગ્રાહકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
આ પણ વાંચો: ડેરી ઉદ્યોગ ક્ષેત્રમાં જાણકાર છો તો આ નોકરીઓ તમારા માટે છે, વાંચો અમારી આ પોસ્ટ