AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBIના આ નિર્ણયે બગાડ્યું ઘર ખરીદવાનું ગણિત, ફરી વધશે હોમ લોન EMI

RBI Repo Rate Hike: લગભગ એક મહિનાના ગાળામાં રેપો રેટમાં આ બીજો વધારો છે. રિઝર્વ બેંકના નિર્ણયની સીધી અસર હોમ લોનના (Home Loan) ઈએમઆઈ પર પડશે.

RBIના આ નિર્ણયે બગાડ્યું ઘર ખરીદવાનું ગણિત, ફરી વધશે હોમ લોન EMI
RBI (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 8:43 PM
Share

જો તમે પણ ઘર ખરીદવાનું અથવા મકાન બનાવવાનું વિચારી રહ્યા છો, તો વધુ ખિસ્સુ ઢીલું કરવા તૈયાર રહો. કારણ કે, મોંઘવારી કેટલાંક વર્ષોના ઊંચા સ્તરે પહોંચવાના કારણે રિઝર્વ બેંક (RBI)એ ફરી એકવાર રેપો રેટ (Repo Rate) વધારવાની જાહેરાત કરી છે. બુધવારે 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.50 ટકાનો વધારો કર્યા બાદ હવે રેપો રેટ વધીને 4.90 ટકા થઈ ગયો છે. લગભગ એક મહિનાના ગાળામાં રેપો રેટમાં આ બીજો વધારો છે. રિઝર્વ બેંકના નિર્ણયની સીધી અસર હોમ લોનના EMI પર પડશે. જેની અસર મકાનોના વેચાણ પર જોવા મળી શકે છે, એટલે કે ઘર ખરીદનારાઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, ખાસ કરીને એફોર્ડેબલ અને મિડ-રેન્જના મકાનોમાં. અગાઉ, આરબીઆઈએ મેની શરૂઆતમાં રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો, ત્યારબાદ બેંકોએ તેમના ધિરાણ દરમાં 30 થી 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

હોમ લોન મોંઘી થશે

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના સીએમડી શિશિર બૈજલે જણાવ્યું હતું કે, આરબીઆઈના નિર્ણયથી હોમ લોન મોંઘી થશે. બાંધકામની ઊંચી કિંમત અને મકાન સામગ્રીની વધતી કિંમતો સાથે વ્યાજ દરમાં વધારો ઘર ખરીદનારના સેન્ટિમેન્ટને પ્રતિકૂળ અસર કરી શકે છે.

હાઉસિંગ ડોટ કોમના ગ્રુપ સીઈઓ ધ્રુવ અગ્રવાલ કહે છે કે રેપો રેટ વધારવા માટે આરબીઆઈના પગલાની પહેલેથી જ અપેક્ષા રાખવામાં આવી રહી હતી. રિઝર્વ બેંકના બેન્ચમાર્ક ધિરાણ દરમાં વધારાને કારણે હોમ લોનના વ્યાજ દરમાં વધારો થશે. જેના કારણે ઘર ખરીદનારાઓના સેન્ટિમેન્ટને અસર થશે. વ્યાજ દરો રેકોર્ડ નીચા સ્તરે રહેવાને કારણે છેલ્લા વર્ષમાં ઘર ખરીદનારાઓને ઘણો ફાયદો થયો છે.

મોંઘવારી સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો બની

હાલમાં મોંઘવારી સમગ્ર વિશ્વ માટે માથાનો દુખાવો બની ગઈ છે. વર્તમાન નાણાકીય વર્ષ એટલે કે 2022-23માં પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળા સુધી મોંઘવારીમાંથી રાહત મળવાની કોઈ આશા નથી. રિઝર્વ બેંકે કહ્યું કે રિટેલ ફુગાવો 2022-23માં 6.7 ટકા રહેવાનો છે. તેનો દર પ્રથમ ક્વાર્ટરમાં 7.5 ટકા, બીજા ક્વાર્ટરમાં 7.4 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6.2 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.8 ટકા રહેવાનો અંદાજ છે. એપ્રિલ 2022માં રિટેલ ફુગાવાનો દર 7.8 ટકા હતો, જે 8 વર્ષમાં સૌથી વધુ છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">