રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેઠળ ખેડૂતોને ખાસ પ્રાધાન્ય આપ્યું છે. કમ્પોઝડ બાયોગેસ પ્લાન્ટ, ફાર્મર પ્રોડયુસર, ઓર્ગેનાઈઝર અને ફાર્મર પ્રોડયુસર કંપનીઓ માટે પ્રાથમિકતા શ્રેણીમાં 5 કરોડ સુધી લોનની જોગવાઈ રખાઈ છે. ક્રોપ લોન અને મશીનરી માટે 2 કરોડ સુધીની લોન પ્રાથમિકતા શ્રેણીમાં ગણાશે. સરકાર રિન્યુએબલ એનર્જી ઉપર વિશેષ ભાર આપી રહી છે. જે માટે 15 કરોડની લોન મર્યાદા વધારીને 30 કરોડ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મર્યાદા પણ વધારવામાં આવી છે. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની ગાઈડલાઈન 1972માં લાગૂ પડાઈ હતી. જેમાં 1974 બાદ બેંકો માટે નક્કી કરાયું હતું કે કુલ ધિરાણના 33 ટકા પ્રાયોરિટી સેકટરને ફાળવે, જેમાં હવે 40 ટકા સુધી હિસ્સો નિર્ધારિત કરાયો છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશન અંતર્ગત પ્રગતિશીલ ખેડૂતોને આર્થિક બળ પૂરું પાડવા સરકાર વિશેષ પ્રયાસ કરી રહી છે. સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને બેન્ક તરફથી મળનાર 50 કરોડ રૂપિયા સુધીના ધિરાણને પણ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની વ્યાખ્યામાં સમાવી લેવાયું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 10:44 pm, Wed, 16 September 20