AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Monetary Policy : આજે સવારે 10 વાગે RBI ગવર્નર MPC બેઠકનો નિર્ણય જાહેર કરશે, જાણો શું છે નિષ્ણાંતોનું અનુમાન

રિઝર્વ બેંકના ગવર્નરે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રેપો રેટમાં થોડો વધારો થશે પરંતુ તે કેટલો થશે તે હું કહી શકીશ નહીં.  બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે MPC બેઠક પર જણાવ્યું હતું કે વૃદ્ધિ અને મોંઘવારી અંગે કેન્દ્રીય બેંકના મંતવ્યોના સંદર્ભમાં આ સમીક્ષા મહત્વપૂર્ણ છે.

RBI Monetary Policy : આજે સવારે 10 વાગે RBI ગવર્નર MPC બેઠકનો નિર્ણય જાહેર કરશે, જાણો શું છે નિષ્ણાંતોનું અનુમાન
Shaktikant Das - RBI Governor
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 7:11 AM
Share

રિઝર્વ બેંક આજે તેની જૂન મહિનાની પોલિસી સમીક્ષા(MPC)ના પરિણામો જાહેર કરશે. જો નિષ્ણાંતોનું માનીએ તો આજે ફરી એકવાર લોકોને તેમના EMIમાં વધારાનો આંચકો સહન કરવો પડે તેવી પૂરી સંભાવના છે. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) પહેલાથી જ સંકેત આપી ચૂક્યું છે કે તે મોંઘવારીને નિયંત્રિત કરવા પર પોતાના પ્રયત્નો જાળવી રાખશે. જેનો અર્થ છે કે તેઓ સિસ્ટમમાંથી વધારાની રોકડ મેળવવાના પગલાં સાથે આગળ વધશે. આ પરાયા પૈકી એક દરમાં વધારો કરવાનો છે. જોકે, આજે દરમાં કેટલો વધારો કરી શકાય તે અંગે નિષ્ણાતો એકમત નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડાથી મોંઘવારી પર થોડી અસર થવાની ધારણા છે. તે જ સમયે ઉદ્યોગ પણ વૃદ્ધિ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે દરમાં વધારો અગાઉના વધારા કરતાં વધુ નહીં હોય. અગાઉ મે મહિનામાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.4 ટકાનો અણધાર્યો વધારો કર્યો હતો. આ નિર્ણય બે પોલિસી સમીક્ષાઓ વચ્ચે લેવામાં આવ્યો હતો.

રેપો રેટમાં મધ્યમ વધારો અપેક્ષિત છે

રિઝર્વ બેંકના ગવર્નરે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રેપો રેટમાં થોડો વધારો થશે પરંતુ તે કેટલો થશે તે હું કહી શકીશ નહીં.  બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે MPC બેઠક પર જણાવ્યું હતું કે વૃદ્ધિ અને મોંઘવારી અંગે કેન્દ્રીય બેંકના મંતવ્યોના સંદર્ભમાં આ સમીક્ષા મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે રેપો રેટમાં વધારો થશે પરંતુ તે 0.25-0.35 ટકાથી વધુ નહીં હોય કારણ કે મે મહિનામાં યોજાયેલી મીટિંગની ટિપ્પણીમાં સૂચવવામાં આવ્યું હતું કે MPC રેપો રેટમાં મોટા વધારાની તરફેણમાં નથી.

બીજી તરફ BofA સિક્યોરિટીઝે એક અહેવાલમાં જણાવ્યું હતું કે તે RBI જૂનમાં રેપો રેટમાં 0.40 ટકા અને ઓગસ્ટમાં 0.35 ટકાનો વધારો કરે તેવી અપેક્ષા રાખે છે. બીજી તરફ હાઉસિંગ.કોમ , પ્રોપટાઇગર.કોમ અને મકાન.કોમના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ધ્રુવ અગ્રવાલે જણાવ્યું હતું કે મોંઘવારીને કાબૂમાં લેવા માટે રિઝર્વ બેન્ક ફરી એકવાર રેપો રેટમાં વધારો કરે તેવી શક્યતા છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે દરમાં વધારો ધીમે ધીમે થવો જોઈએ કારણ કે તે રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસને અસર કરી શકે છે.

સમગ્ર વર્ષ માટે વૃદ્ધિની આગાહી

નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે દરોમાં વર્ષ દરમિયાન ધીમે ધીમે વધારો જોવા મળી શકે છે. એસબીઆઈના અર્થશાસ્ત્રીઓ માને છે કે મોંઘવારીને નિયંત્રણમાં લાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઓગસ્ટ સુધીમાં પોલિસી રેપો રેટમાં 0.75 ટકાનો વધારો કરી શકે છે. આ રીતે રોગચાળા પહેલાના 5.15 ટકાના સ્તરે પહોંચી જશે. એટલે કે, અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે જૂનની સમીક્ષામાં દરમાં વધારો થવાની શક્યતા છે. એક્સિસ બેંકે એક અંદાજ આપ્યો છે કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં રેપો રેટ વધીને 5.75 ટકા થઈ શકે છે. એક્સિસ બેન્કે દરમાં વધારો ધીમો થવાની શક્યતા વ્યક્ત કરી છે.

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">