AADHAR ને સંબંધિત કોઈ સમસ્યા છે? ડાયલ કરો આ નંબર , UIDAI તમારી સમસ્યા હલ કરશે

|

May 04, 2021 | 8:23 AM

જો તમને પણ આધાર કાર્ડ (Aadhaar Card) સંબંધિત કોઈ સમસ્યા છે, તો હવે તમે તેને એક ફોન કોલ દ્વારા તે હલ કરી શકો છો.

AADHAR ને સંબંધિત કોઈ સમસ્યા છે? ડાયલ કરો આ નંબર , UIDAI તમારી સમસ્યા હલ કરશે
હવે આધાર માટેની કોઈપણ સમસ્યા માટે 1947 ડાયલ કરવાથી સમાધાન મળશે.

Follow us on

જો તમને પણ આધાર કાર્ડ (Aadhaar Card) સંબંધિત કોઈ સમસ્યા છે, તો હવે તમે તેને એક ફોન કોલ દ્વારા તે હલ કરી શકો છો. UIDAIએ ટ્વીટ કરીને માહિતી જારી કરી છે. હેલ્પલાઈન નંબર 1947 આપવામાં આવ્યો છે. આ 1947 નંબર નિઃશુલ્ક છે જે આખા વર્ષ દરમિયાન IVRS મોડ પર ચોવીસ કલાક ઉપલબ્ધ રહે છે.

આ હેલ્પલાઇન નંબર લોકોને આધાર નોંધણી કેન્દ્રો, નોંધણી પછી આધાર નંબરની સ્થિતિ અને અન્ય આધાર સંબંધિત માહિતી પૂરી પાડે છે. આ સિવાય જો કોઈનું આધારકાર્ડ ખોવાઈ ગયું છે અથવા હજી સુધી તે પોસ્ટ દ્વારા પ્રાપ્ત થયું નથી તો આ સુવિધાની મદદથી માહિતી મેળવી શકાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

UIDAIએ ટ્વીટ કર્યું છે
UIDAIએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. આધાર હેલ્પલાઈન દિવસના 24 કલાક, અઠવાડિયાના સાત દિવસ ઉપલબ્ધ છે. આ સુવિધા આઈવીઆરએસ દ્વારા 1947 પર ફોન કરીને 24 * 7 ઉપલબ્ધ કરાવી શકાય છે. એજન્ટ સાથે વાત કરવા સોમવારથી શનિવાર સવારે 7 થી 11 અને રવિવારે સવારે 8 થી સાંજના 5 સુધી રાષ્ટ્રીય રજાઓને બાદ કરતા સંપર્ક કરી શકાશે

સુવિધા 12 ભાષાઓમાં મળશે
આધારને લગતી દરેક સમસ્યાનું સમાધાન લાવવા યુઆઈડીએઆઈએ 1947 હેલ્પલાઈન નંબર આપ્યો છે. આ નંબર પર ફોન કરી સમસ્યાઓ દૂર કરી શકો છો. આધારની આ સેવા 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ 12 ભાષાઓમાં હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તામિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દુનો સમાવેશ થાય છે.

ઈ – મેઈલ પણ કરી શકાય છે
ઈ – મેઇલ દ્વારા તમારી સમસ્યાઓ પહોંચાડી શકાય છે. આ માટે તમારે help@uidai.gov.in પર લખીને તમારી સમસ્યા મેઇલ કરવાની રહેશે.

UIDAI ના અધિકારીઓને માહિતી આપો
UIDAIના અધિકારીઓ આ મેઇલને સમયાંતરેર તપાસે છે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. ફરિયાદ સેલ ઇ-મેઇલનો જવાબ આપીને સમસ્યાઓનું નિરાકરણ લાવે છે.

તમે વેબસાઇટ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો
>> સૌ પ્રથમ તમે UIDAIની સત્તાવાર વેબસાઇટ https://resident.uidai.gov.in/ પર જાઓ
>> હવે તમારે સંપર્ક અને સપોર્ટ માટે ‘Ask Aadhaar’ પર જવું પડશે.
>> અહીં તમને એક આધાર એક્ઝિક્યુટિવ સાથે જોડવામાં આવશે, જેને તમે તમારી સમસ્યાઓ કહી શકો છો, તે તેમને હલ શોધી આપવામાં તમારી સહાય કરશે.

Published On - 8:22 am, Tue, 4 May 21

Next Article