AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMAY : જો PM આવાસ યોજના અંગે કોઈ સમસ્યા હોય તો અહીં કરો ફરિયાદ , 45 દિવસમાં સમસ્યા હલ થશે, જાણો વિગતવાર

ફરિયાદ પ્રાપ્ત થયાની તારીખથી 45 દિવસના સમયગાળામાં દરેક સ્તરે ફરિયાદોનો નિકાલ કરવાની જોગવાઈ છે. વધુ માહિતી માટે તમે તમારા સ્થાનિક આવાસ સહાયક અથવા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકો છો.

PMAY : જો PM આવાસ યોજના અંગે કોઈ સમસ્યા હોય તો અહીં કરો ફરિયાદ , 45 દિવસમાં સમસ્યા હલ થશે, જાણો વિગતવાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 9:18 AM
Share

સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) નું લક્ષ્ય દેશના તમામ લોકોને રહેવા માટે ઘરો ઉપલબ્ધ કરાવાનું છે. ભારત સરકારે 2022 સુધીમાં બેઘર લોકોને મકાનો આપવાનું આયોજન કર્યું છે. યોજના હેઠળ સરકાર આપે છે બેઘર લોકોને મકાનો અને તે જ સમયે તેમને સબસિડી મળે છે જેઓ લોન પર ઘર અથવા ફ્લેટ ખરીદે છે. જો તમને આ યોજના સંબંધિત કોઈ ફરિયાદ હોય તો તમે સમસ્યાનો હલ મેળવી શકો છો.

પીએમ આવાસ યોજના સંબંધિત ફરિયાદ ક્યાં કરવી? સરકારે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તમે ગ્રામ પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

45 દિવસમાં સમસ્યા હલ થશે ફરિયાદ પ્રાપ્ત થયાની તારીખથી 45 દિવસના સમયગાળામાં દરેક સ્તરે ફરિયાદોનો નિકાલ કરવાની જોગવાઈ છે. વધુ માહિતી માટે તમે તમારા સ્થાનિક આવાસ સહાયક અથવા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકો છો.

PMAY માં કેવી રીતે અરજી કરવી તે જાણો PM આવાસ યોજના ગ્રામીણ હેઠળ અરજી કરવા માટે સરકારે મોબાઇલ આધારિત આવાસ એપ બનાવી છે. તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કર્યા પછી તમારે મોબાઈલ નંબરની મદદથી તેમાં લોગિન આઈડી બનાવવી પડશે.

1. આ પછી એપ તમારા મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ – OTP મોકલશે. 2. OTP ની મદદથી લોગ ઇન કર્યા બાદ જરૂરી માહિતી દાખલ કરો. 3. PMAY હેઠળ મકાન મેળવવા માટે અરજી કર્યા પછી કેન્દ્ર સરકાર લાભાર્થીઓની પસંદગી કરે છે. 4. આ પછી લાભાર્થીઓની અંતિમ યાદી PMAY ની વેબસાઇટ પર મૂકવામાં આવે છે.

યોજનાનો લાભ કોને મળે છે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) નો લાભ અગાઉ માત્ર ગરીબ વર્ગ માટે જ હતો. પરંતુ હવે શહેરી વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગને પણ હોમ લોનની રકમમાં વધારો કરીને તેની હદમાં લાવવામાં આવ્યા છે. શરૂઆતમાં PMAY માં હોમ લોનની રકમ 3 થી 6 લાખ રૂપિયા સુધીની હતી જેના પર વ્યાજ પર સબસિડી આપવામાં આવી હતી હવે તેને વધારીને 18 લાખ રૂપિયા કરવામાં આવી છે.

EWS (લો ઇકોનોમિક ક્લાસ) માટે વાર્ષિક ઘરેલુ આવક રૂપિયા 3 લાખ નક્કી કરવામાં આવી છે. LIG (ઓછી આવક જૂથ) માટે વાર્ષિક આવક 3 લાખથી 6 લાખની વચ્ચે હોવી જોઈએ. હવે 12 અને 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો પણ આનો લાભ લઈ શકે છે.

આ પણ વાંચો : HOME LOAN : ફેસ્ટિવલ સિઝનમાં બેંકોએ હોમ લોનના દર ઘટાડયા અને પ્રોસેસિંગ ફી કરી માફ, જાણો કેટલો થશે લાભ ?

આ પણ વાંચો : Zomato ના Co-Founder ના રાજીનામાં અંગે BSE એ માંગ્યો જવાબ , જાણો શું કહ્યું કંપનીએ

Follow Us
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
અમરેલી-જામનગર જિલ્લામાં કરા સાથે માવઠું
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
વિરમગામના ખેડૂતોએ અધિકારીઓ અને સ્થાનિક નેતા સામે મોરચો માંડ્યો
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
બનાસકાંઠા ઉણ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ!
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV થયા વાયરલ
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
g clip-path="url(#clip0_868_265)">