PM Kisan Scheme : પીએમ કિસાન સન્માન નિધિના 10માં હપ્તાને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે થશે જમા

PM Kisan 10th Installment : કેન્દ્રએ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને મદદ કરવા નાણાકીય વર્ષ 2022માં પીએમ કિસાન યોજના માટે 43,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

PM Kisan Scheme : પીએમ કિસાન સન્માન નિધિના 10માં હપ્તાને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે થશે જમા
PM Kisan Samman Nidhi 10th Installment Date
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 5:59 PM

જો તમે પીએમ કિસાન સન્માન નિધિના (PM Kisan Samman Nidhi) 10મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કૃષિ મંત્રાલયના સૂત્રો (Ministry of Agriculture) પાસેથી મળેલી માહિતી મુજબ ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ચૂંટણીની (elections) જાહેરાત થવા જઈ રહી છે. એટલા માટે સરકાર આ મહિનાના અંત સુધીમાં 10મા હપ્તાની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 15 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર સુધીમાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે ખેડૂતોની મદદ માટે સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ નાણાકીય વર્ષનો 2જો હપ્તો 9 ઓગસ્ટ 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો જે આ યોજનાનો 9 મો હપ્તો હતો. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (Direct Benefit Transfer – DBT) યોજના હેઠળ અત્યાર સુધીમાં 9 હપ્તા હેઠળ 10 કરોડ 65 લાખ 56 હજાર 218 ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવ્યા છે.

ટૂંક સમયમાં સરકાર 22000 કરોડનું ફંડ જાહેર કરશે

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અથવા પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 22,000 કરોડ રૂપિયા જાહેર કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં રિલીઝ થનાર ફંડ એ નાણાકીય વર્ષ 21 -22 ના ડિસેમ્બર-માર્ચ ક્વાર્ટર માટે ત્રીજો હપ્તો છે. આ યોજના હેઠળ કેન્દ્રએ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને લગભગ 1.57 લાખ કરોડ રૂપિયાની રકમ પ્રદાન કરી છે.

મંગળવારે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રએ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને મદદ કરવા નાણાકીય વર્ષ 21 – 2022 માં PM કિસાન યોજના માટે 43,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરથી માર્ચ ક્વાર્ટર માટે ત્રીજા હપ્તાની રીલીઝ સાથે, ચાલુ નાણાકીય વર્ષ માટે ફાળવવામાં આવેલા  65,000 કરોડ રુપિયાના બજેટનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2022માં પીએમ કિસાન માટે વધારાના  500 કરોડ રૂપિયાથી  લઈને 1,000 કરોડ રૂપિયાની જરૂર પડી શકે છે કારણ કે વધુને વધુ ખેડૂતો આ યોજના માટે નોંધણી કરી રહ્યા છે.

લગભગ 11 કરોડ લાભાર્થીઓને મળ્યો લાભ

સરકાર પશ્ચિમ બંગાળમાં આ યોજનામાં 15 લાખ વધુ ખેડૂતોને જોડવાની આશા રાખે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ત્યારે રાજ્યમાં 50 લાખ ખેડૂતો હશે, જે હાલના 35 લાખ કરતાં વધુ છે. તેમણે કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં સરકારે લગભગ 11 કરોડ લાભાર્થીઓને પીએમ કિસાન યોજનામાં જોડ્યા છે.

આ પણ વાંચો :  કૃષિ કાયદા પરત લેવા મુદ્દે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક, ક્રિપ્ટોકરન્સી પર થઈ શકે છે મોટી જાહેરાત

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">