Petrol-Diesel Price : સરકારી ટેક્સ નહિ પણ આ કારણથી વધી રહી છે કિંમત, જાણો શું કહ્યું પેટ્રોલિયમ મંત્રીએ

|

Feb 26, 2021 | 7:17 AM

કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો (Petrol-Diesel Price) અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે તેલ ઉત્પાદક દેશો દ્વારા ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે દેશમાં પેટ્રોલિયમ પેદાશો મોંઘી થઈ રહી છે.

Petrol-Diesel Price : સરકારી ટેક્સ નહિ પણ આ કારણથી વધી રહી છે કિંમત, જાણો શું કહ્યું પેટ્રોલિયમ મંત્રીએ
Dharmendra Pradhan

Follow us on

કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો (Petrol-Diesel Price) અંગે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે તેલ ઉત્પાદક દેશો દ્વારા ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે દેશમાં પેટ્રોલિયમ પેદાશો મોંઘી થઈ રહી છે. પોતાના દેશના હિતમાં વધુ નફો મેળવવા માટે ક્રૂડ ઓઇલ સપ્લાય કરનારા દેશો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે ક્રૂડ ઓઇલ સપ્લાય કરનારા દેશોને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ન કરવા વિનંતી કરવામાં આવી છે કારણ કે તેની અસર સીધી ગ્રાહક પર પડે છે. જવાબ મળી રહ્યો છે કે તેઓ પોતાના દેશના હિતમાં વધારી રહ્યા છે.

ખરાબ હવામાનને કારણે અમેરિકામાં તેલનું ઉત્પાદન ધીમું પડ્યું
પ્રધાને તેલ ઉત્પાદક દેશોના સંદર્ભમાં કહ્યું હતું કે, તમે કિંમતોમાં વધારો કરી શકતા નથી કારણ કે તેની અસર આયાત કરનારા દેશોને થાય છે. ખરાબ હવામાનને કારણે, યુએસમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયામાં ઉત્પાદન ધીમું થયું છે. મંત્રીએ કહ્યું કે તેઓ થોડા દિવસોમાં સ્થિતિ સુધારવાની આશા રાખે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પેટ્રોલ અને ડીઝલના ભાવ અડધા થઈ શકે છે
તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર પ્રધાને થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તેમનું મંત્રાલય સતત જીએસટી કાઉન્સિલને પેટ્રોલિયમ પેદાશોને તેના કાર્યક્ષેત્રમાં સમાવવા વિનંતી કરે છે, કેમ કે તેનાથી લોકોને ફાયદો થશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પણ આવા જ કેટલાક સંકેતો આપ્યા છે. જો જીએસટી કાઉન્સિલ પેટ્રોલિયમ મંત્રીના સૂચનોનો અમલ કરશે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અડધા થઈ જશે.

વરિષ્ઠ નાગરિકોને 35,000 કરોડની મફત રસી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, હવે સરકાર સમક્ષ મૂળ સમસ્યા રાહત, રોજગાર, નોકરી બચાવવાની છે. લોકોએ પૈસા અને આરોગ્ય સેવાઓ સુધરે તેવો પ્રયાસ કરવો જોઇએ. તેમણે કહ્યું કે સરકારે 35,000 કરોડનું રોકાણ કરી ગરીબ વરિષ્ઠ નાગરિકોને નિ:શુલ્ક રસી આપવાની યોજના બનાવી છે.

Next Article