હાઈ બીપી ની બીમારીમાં કારગર છે પતંજલિની બીપી ગ્રિટ વટી, આવી રીતે કરે છે ફાયદો
આધુનિક જીવનશૈલી અને બદલાયેલા ખાનપાન બીપીની સમસ્યા વધવા માટેનું મુખ્ય કારણ છે. હાઈ બીપીના દર્દીઓએ નિયમિત રીતે દવા લેવી જોઈએ. હવે પતંજલિએ દાવો કર્યો છે કે તેમની આયુર્વેદિક ઔષધિથી બીપીની સમસ્યા પર સરળતાથી કાબુ કરી શકાય છે. સંશોધન બાદ પતંજલિએ આ દાવો કર્યો છે.

બ્લડ પ્રેશર, બીપી લો કે હાઈ હોય તો શરીરને જ નુકસાન પહોંચાડે છે. બીપીમાં થનારા બદલાવની તુરંત જાણ નથી થતી. ક્યારેક તો માથામાં દુખાવો અને શ્વાસ ચડવાથી તેની જાણ થાય છે. હાઈ બીપી એટલે કે હાઈપરટેન્શન હાલના દિવસોમાં એક ગંભીર સમસ્યા તરીકે સામે આવ્યુ છે. બીપીને નિયંત્રણમાં રાખવા માટે લોકો સતત દવા લેવા માટે મજબુર થઈ જાય છે.એલોપેથિક પદ્ધતિમાં હાઈ બીપી માટે કેટલીક દવાઓ છે. જેને નિયમિત રીતે લેવાની હોય છે. જો કે આયુર્વેદમાં આ બીમારીનો સરળ ઈલાજ છે.
પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હરિદ્વાર એ પોતાના સંશોધન પછી દાવો કર્યો છે કે આયુર્વેદિક દવા દિવ્ય બીપી ગ્રિટ વટી હાઈ બીપીની સમસ્યાને સરળતાથી નિયંત્રિત કરી શકે છે. તેનાથી, બીપી હંમેશા નિયંત્રણમાં રહે છે, આ દવાના સેવનથી તમે બીપીની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દવા હાઈ અને લો બીપી બંનેમાં કામ કરે છે. આયુર્વેદિક ડૉક્ટરની દેખરેખ હેઠળ તેને નિયમિત રીતે લેવાથી માત્ર બીપીની સમસ્યા જ નિયંત્રિત થતી નથી પરંતુ આ રોગ પણ દૂર થાય છે.
દિવ્ય બીપી ગ્રિટ વટી (BPGRIT Vati) ખૂબ જ ફાયદાકારક
સંશોધન પછી, પતંજલિની દિવ્ય ફાર્મસી દ્વારા આ દવા દિવ્ય બીપી ગ્રિટ વાટીના નામથી બજારમાં લોન્ચ કરવામાં આવી હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ દવા માત્ર બીપીમાં અસરકારક નથી પણ થાક અને ચક્કરની સમસ્યાને પણ દૂર કરે છે. આ સાથે, આ દવા હૃદયના ધબકારા સુધારવાની સાથે ચિંતા ન્યુરોસિસ, ભય અને બેચેનીમાં પણ અસરકારક છે. ખાસ વાત એ છે કે દવાની કોઈ આડઅસર નથી. આવી સ્થિતિમાં, હાઈ બીપીનો દર્દી સરળતાથી તેનું સેવન કરી શકે છે.
આ દવામાં આયુર્વેદિક દવાઓનો સમાવેશ
સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દિવ્ય બીપી ગ્રીટ વટીમાં અર્જુન, ગોખરુ, દાડમ, લસણ, તજ અને ગુગલનો સમાવેશ કરવામાં આવ્યો છે. દવામાં આ આયુર્વેદિક ઔષધિઓની નિર્ધારિત માત્રા ભેળવવામાં આવી છે. આ દવાઓ બીપીની સમસ્યામાં ખૂબ અસરકારક છે. આ દવાઓનું સેવન કરીને બીપીની સમસ્યાને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. આ બધી દવાઓને એક નિર્ધારિત માત્રામાં એક પદ્ધતિ અનુસાર દિવ્ય બીપી ગ્રીટ વાટીમાં ભેળવવામાં આવી છે.
આ રીતે લેવી જોઈએ આ દવા
દર્દીની સ્થિતિ નક્કી કરે છે કે દર્દીએ દવા કેટલી અને કેટલા સમય માટે લેવી. આયુર્વેદિક ડૉક્ટર દર્દીની તપાસ કર્યા પછી જ નક્કી કરી શકે છે. જો કે, એવો દાવો કરવામાં આવ્યો છે કે બીપીના દર્દીઓ સવારે નિયમિતપણે દવાની બે ગોળીઓ લઈ શકે છે.