હવે બેંકમાં જમા તમારા પૈસા વધુ સુરક્ષિત બનશે, બેંક ડૂબશે તો પણ 90 દિવસમાં 5 લાખ સુધીની રકમ પરત મળશે , જાણો વિગતવાર

|

Jul 29, 2021 | 7:42 AM

બેંકોમાં 5 લાખ રૂપિયા સુધીની થાપણોની સુરક્ષા DICGC દ્વારા આપવામાં આવે છે. થાપણ વીમાની જોગવાઈ મુજબ બેંકમાં નાદારી અથવા તેનું લાઇસન્સ રદ થવાની સ્થિતિમાં બેંકમાં જમા કરાયેલ રકમને ધ્યાનમાં લીધા વિના થાપણ કરનારને 5 લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવે છે.

સમાચાર સાંભળો
હવે બેંકમાં જમા તમારા પૈસા વધુ સુરક્ષિત બનશે, બેંક ડૂબશે તો પણ 90 દિવસમાં 5 લાખ સુધીની રકમ પરત મળશે , જાણો વિગતવાર
money deposited in the bank will be more secure

Follow us on

કેન્દ્રીય કેબિનેટે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર સહકારી બેંક (PMC Bank) ની જેમ આર્થિક સંકટમાં ફસાયેલ બેંકોના ગ્રાહકોને મોટી રાહત આપી છે. આ માટે કેબિનેટે ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ, 1961 (DICGC Act)માં કરવામાં આવેલા સુધારાઓને મંજૂરી આપી દીધી છે.

મંત્રીમંડળના આ પગલાનો ઉદ્દેશ પીએમસી બેંક, યસ બેન્ક અને લક્ષ્મી વિલાસ બેંક જેવી સંકટગ્રસ્ત બેંકોના ગ્રાહકોની મુશ્કેલીઓ ઘટાડવાનો છે. આ સાથે સ્થગિત કરાયેલી બેંકોના થાપણદારોએ તેમના પૈસા પાછા ખેંચવાના રિઝર્વ બેંક RBI) ના નિર્ણયની રાહ જોવી પડશે નહીં. જો બેન્ક મોરટેરિયમ હેઠળ આવે તો 90 દિવસની અંદર થાપણદારો 5 લાખ રૂપિયા ઉપાડવામાં સમર્થ હશે.

કયા સંજોગોમાં ગ્રાહકોને ડિપોઝિટ ઇન્સ્યુરન્સ કવરનો લાભ મળશે
જો કોઈપણ બેંકની નિયમિત કામગીરીને રિઝર્વ બેંક દ્વારા નિલંબિત રાખવામાં આવે છે અથવા દેખરેખ હેઠળ રાખવામાં આવે છે તો કેન્દ્ર સરકારે ડિપોઝિટ ઇન્સ્યુરન્સ કવર વધારીને 5 લાખ રૂપિયા કરી દીધો છે. ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) ભારતીય રિઝર્વ બેંક હેઠળ કામ કરે છે. ચાલો તમને જણાવી દઈએ કે બેંકોમાં 5 લાખ રૂપિયા સુધીની થાપણોની સુરક્ષા DICGC દ્વારા આપવામાં આવે છે. થાપણ વીમાની જોગવાઈ મુજબ બેંકમાં નાદારી અથવા તેનું લાઇસન્સ રદ થવાની સ્થિતિમાં બેંકમાં જમા કરાયેલ રકમને ધ્યાનમાં લીધા વિના થાપણ કરનારને 5 લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

DICGC કઈ બેંકોને ડિપોઝિટ ઇન્સ્યુરન્સ કવર પ્રદાન કરે છે?
નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે જો કોઈ બેંક અસ્થાયી રૂપે તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય તો આવી બેંકમાં પૈસા જમા કરનાર વ્યક્તિ સરળતાથી અને સમયસર તેની મર્યાદા સુધી રકમ ઉપાડી શકે છે. જમા કરાયેલ રકમ વીમા કવર મળશે. એમ પણ કહ્યું હતું કે હું ડીઆઇસીજીસી એક્ટ, 1961 માં સુધારાની દરખાસ્ત કરાઈ છે. ક્ષેત્રના જાણકાર આદિલ શેટ્ટીએ મામલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે ડિપોઝિટ ઇન્સ્યુરન્સ કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરી દીધો હતો તેના હિતોને ધ્યાનમાં રાખીને થાપણદારો ડીઆઈસીજીસી બેંકના તમામ પ્રકારો અને ક્ષેત્રોને ડિપોઝિટ વીમો પ્રદાન કરે છે.

Published On - 7:39 am, Thu, 29 July 21

Next Article