ઇન્ડિયા પોસ્ટ(India Post) તરફથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ પેન્શનરો માટે સારા સમાચાર છે. ઈન્ડિયા પોસ્ટએ જાહેરાત કરી છે કે હવે પેન્શનરો અને અન્ય તમામ વરિષ્ઠ નાગરિકો તેમની નજીકની પોસ્ટ ઓફિસથી જીવન પ્રમાણપત્ર(Life Certificate) મેળવી શકશે. આ પેન્શનરો અને અન્ય વરિષ્ઠ નાગરિકો કે જેઓ ટેક સમજશક્તિ ધરાવતા નથી અને તેઓને જીવન પ્રમાણપત્ર માટે તેમની બેંકની મુલાકાત લેવી પડતી હતી પરંતુ હવે મોટી રાહત મળી રહી છે.
હકીકતમાં કેટલાક પ્રસંગોએ પેન્શનરને જીવન પ્રમાણ પત્ર મેળવવા માટે તેના એમ્પ્લોયરનો સંપર્ક કરવો પડે છે. ઈન્ડિયા પોસ્ટના આ પ્રસ્તાવથી કેન્દ્ર સરકારના આશરે 60 લાખ પેન્શનરો અને વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય સરકારી એજન્સીઓના પેન્શનરોને સુવિધા મળશે.
ઈન્ડિયા પોસ્ટે ટ્વીટ કર્યું છે
ઈન્ડિયા પોસ્ટે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આ પહેલ અંગે જાહેરાત કરી અને કહ્યું કે વરિષ્ઠ નાગરિકો હવે નજીકની પોસ્ટ ઓફિસના CSC કાઉન્ટર પર સરળતાથી જીવન પ્રમણ સેવાઓ મેળવી શકશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનરોએ પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે નવેમ્બર મહિનામાં પોતાનું જીવન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. આના દ્વારા તે પ્રમાણિત થાય છે કે પેન્શનર જીવિત છે. જો આ પ્રમાણપત્ર સબમિટ કરવામાં ન આવે તો પેન્શન અટકી શકે છે.
वरिष्ठ नागरिक अब सरलता से नज़दीकी डाकघर के सीएससी काउंटर पर जीवन प्रमाण सेवाओं का लाभ उठा सकते हैं। #AapkaDostIndiaPost
Senior citizens can now easily avail the benefit of Jeevan Praman services at the nearest post office CSC counter.#AapkaDostIndiaPost pic.twitter.com/tKrzifc6yc
— India Post (@IndiaPostOffice) July 15, 2021
તમારી નજીકની પોસ્ટ ઓફિસથી પ્રમાણપત્ર મેળવો
ઈન્ડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કર્યા પછી પેન્શનર પેન્શન વિતરણ કરતી એજન્સી અથવા ક્યાં તેમને સર્વિસ કરી છે તે જગ્યાના સ્થાને નજીકની પોસ્ટ ઓફિસ પર જઈ શકે છે અથવા ભવિષ્યમાં પેન્શન પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે તેનું જીવન પ્રમાણપત્ર મેળવી શકે છે. પેન્શનરો કે જેઓને પોસ્ટ ઓફિસ અથવા પેન્શન વિતરણ એજન્સી સુધી પહોંચવામાં મુશ્કેલી હોય તે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવવા માટે નજીકના જીવન પ્રમાણ કેન્દ્રની મુલાકાત લઈ શકે છે.