વિદેશમાં પણ UPI ની બોલબાલા, આ દેશે ડિજીટલ ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈને અપનાવ્યુ

પાડોશી દેશ નેપાળે પણ પોતાના દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે UPI અપનાવ્યું છે. ભારતની બહાર નેપાળ પહેલો દેશ છે જેણે UPI પ્લેટફોર્મને પેમેન્ટ ગેટવે તરીકે સ્વીકાર્યું છે.

વિદેશમાં પણ UPI ની બોલબાલા, આ દેશે ડિજીટલ ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈને અપનાવ્યુ
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 5:30 PM

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ગુરુવારે જણાવ્યું હતું કે નેપાળ ભારતની UPI સિસ્ટમ અપનાવનાર પ્રથમ દેશ બની ગયો છે, જેનાથી પાડોશી દેશની ડિજિટલ  અર્થવ્યવસ્થાને (Digital Economy)  વેગ આપવા માટે ઉલ્લેખનીય મદદ મળશે. એનપીસીઆઈની આંતરરાષ્ટ્રીય શાખા એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) એ નેપાળમાં સેવાઓ પ્રદાન કરવા માટે ગેટવે પેમેન્ટ્સ સર્વિસ (GPS) અને મનમ ઇન્ફોટેક સાથે હાથ મિલાવ્યા છે. જીપીએસ નેપાળમાં અધિકૃત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે. મનમ ઇન્ફોટેક નેપાળમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) લાગુ કરશે. એનપીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ જોડાણ નેપાળમાં લોકોની સુવિધામાં વધારો કરશે અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપશે.

નિવેદન અનુસાર, નેપાળ ભારતની બહાર પહેલો દેશ હશે જેણે UPIને કેશ ટ્રાન્ઝેક્શનના ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપતા પેમેન્ટ પ્લેટફોર્મ તરીકે અપનાવ્યું છે. GPSના CEO રાજેશ પ્રસાદ માનંધરે જણાવ્યું હતું કે UPI સેવાએ ભારતમાં ડિજિટલ પેમેન્ટ પર ભારે સકારાત્મક અસર કરી છે. તેમણે કહ્યું કે, “અમને આશા છે કે UPI નેપાળમાં ડિજિટલ અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવા અને ઓછી રોકડવાળા સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

2021માં UPI દ્વારા 940 બિલિયન ડોલરના ટ્રાન્ઝેક્શન્સ

NIPL CEO રિતેશ શુક્લાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે આ પહેલ NIPLની તકનીકી ક્ષમતાઓ અને વૈશ્વિક સ્તરે તેની અજોડ ઓફરોને વધારવામાં મદદ કરશે.” UPI એ 2021 માં 940 બિલિયન ડોલરનાના મૂલ્યના 3,900 કરોડ નાણાકીય વ્યવહારો સક્ષમ કર્યા, જે ભારતના GDPના લગભગ 31 ટકા જેટલા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

UPI શું છે?

UPI એ બેંકિંગ સિસ્ટમ છે. તેની મદદથી પેમેન્ટ એપ પર પૈસાની લેવડદેવડ કરી શકાય છે. UPI ની મદદથી તમે ગમે ત્યાંથી, કોઈપણના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. UPI ની મદદથી પેમેન્ટ સિવાય બીજી ઘણી વસ્તુઓ કરવામાં આવે છે. હાલમાં, તમે BHIM, Phone Pay, Google Pay, Mobikwik, Paytm જેવી ઘણી એપ્સની મદદથી UPI નો ઉપયોગ કરી શકો છો. યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ અથવા યુપીઆઈનો ઉપયોગ મોબાઈલમાંથી કોઈપણ અન્ય બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે થાય છે. આ એક એવો ખ્યાલ છે જે એક જ મોબાઇલ એપ્લિકેશન દ્વારા બહુવિધ બેંક ખાતાઓને નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે. તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેનું નિયંત્રણ રિઝર્વ બેંક અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના હાથમાં છે.

ઇન્ટરનેટ વિના ઉપયોગ થઈ શકે તેવા UPI લાઇટની તૈયારી ચાલુ

NPCI હાલમાં UPI લાઇટ પર કામ કરી રહી છે. UPI લાઇટની મદદથી ઇન્ટરનેટ કનેક્શન વિના પણ પેમેન્ટ કરી શકાય છે. આનાથી દેશના તે ગ્રામીણ વિસ્તારોમાં કરોડો લોકોને ફાયદો થશે, જ્યાં ઇન્ટરનેટ યોગ્ય રીતે ચાલી શકતું નથી. UPI લાઇટ દ્વારા, કોઈપણ વ્યક્તિ ફીચર ફોનથી ડિજિટલ પેમેન્ટ કરી શકશે. નિષ્ણાતોના મતે, UPI લાઇટનો ઉપયોગ સૌપ્રથમ ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 200થી ઓછી ચૂકવણી માટે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ પહેલા જ 5 જાન્યુઆરીએ ઈન્ટરનેટ કનેક્શન વિના 200 રૂપિયા સુધીના ડિજિટલ પેમેન્ટની મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો : MONEY9 : LICના IPOમાં કેટલું મળશે ડિસ્કાઉન્ટ ? કેટલી હશે શેરની ફેસ વેલ્યૂ ?

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">