રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી વધુ એક મુશ્કેલીમાં મુકાયા છે. હવે મુંબઈ સ્થિત નેશનલ લૉ ટ્રિબ્યુનલ (NCLT)એ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના દાવા પર રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની વિરૂદ્ધ નાદારી (Bankrupt case)નો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. NCLTએ SBIના દાવાની ચકાસણી માટે બે સભ્યોની પેનલની રચના કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
NCLT દ્વારા નિયુક્ત બેન્કરપ્સી એડમિનિસ્ટ્રેટર SBIના આ દાવાની ચકાસણી કરશે. જેમાં બેન્કે કહ્યું છે કે વર્ષ 2016માં રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ ઈન્ફ્રાટેલ માટે લગભગ 1,200 કરોડ રૂપિયાની લોન લેતા સમયે અનિલ અંબાણીએ પર્સનલ ગેરેન્ટી આપી હતી.
હવે આ કંપનીઓ દેવાદાર થઈ ચૂકી છે અને દેવું ચૂકવી શકતી નથી. ત્યારે હવે NCLTએ અનિલ અંબાણીની વિરૂદ્ધ Bankrupt case ચલાવવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા SBIએ બેન્કરપ્સી લૉના પર્સનલ ગેરેન્ટી ક્લોજ હેઠળ રકમ રિક્વર કરવાના અધિકારીની માંગ પણ NCLT પાસે કરી હતી. તમને જણાવી દઈએ કે અનિલ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશને વર્ષ 2019ના શરૂઆતમાં જ પોતાને નાદાર જાહેર કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 12:35 pm, Fri, 21 August 20