સુકન્યા, PPF જેવી યોજનાઓ પર લોકોને મળશે મોટી ભેટ ! મોદી સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

|

Jun 26, 2024 | 5:11 PM

ચૂંટણી પરિણામ બાદ નવી સરકારની રચના પછી પ્રથમ વખત, સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં સરકાર આ અંગે મહત્વનો નિર્ણય લઈ શકે તેવી શકયતા છે. 

સુકન્યા, PPF જેવી યોજનાઓ પર લોકોને મળશે મોટી ભેટ ! મોદી સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

Follow us on

સરકાર લોકોની સુખાકારી માટે અનેક પ્રયાસો કરતી રહે છે. ત્યારે આ માટે પહેલેથી સરકાર દ્વારા એવી કેટલીક સેવાઓ લાવી છે જે લોકોના હિતમાં છે.  નવી સરકારની રચના પછી પ્રથમ વખત, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરો અંગે મહત્વની વિચારણા કરવામાં આવી રહી છે.

આ વચ્ચે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર આ યોજનાઓના વ્યાજ દરોમાં ફેરફાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર નાની બચત યોજનાઓ માટે દર ત્રિમાસિક ગાળામાં વ્યાજ દર નક્કી કરે છે. સરકારે એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે યોજનાઓ પરના વ્યાજ દરો યથાવત રાખ્યા હતા. તે જ સમયે, જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે વ્યાજ દરો પર નિર્ણય 30 જૂન સુધીમાં લેવામાં આવે તેવી શક્યતા છે.

લાખો નાના બચતકારોને ફાયદો

વિભવંગલ અનુકુલકારા પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ મૌર્યએ જણાવ્યું હતું કે PF, ESAF અને નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો સરકાર માટે સંવેદનશીલ રાજકીય મુદ્દા છે. જોકે, લાખો નાના બચતકારોને ફાયદો કરાવવા વ્યાજ દરો વધારવાનું દબાણ છે.

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

ગ્રાહકો બેંક થાપણોથી દૂર જાય તો સમસ્યાઓ ઉદભવે

મૌર્યએ જણાવ્યું કે, વ્યાજદરમાં વધારાથી સરકારી ખર્ચમાં વધારો થશે અને સંભવિત રીતે રાજકોષીય ખાધમાં વધારો થશે. સરકારે આ નિર્ણયોને RBIની મોનેટરી પોલિસી અને બેંક ડિપોઝિટ રેટ સહિત મેક્રો ઈકોનોમિક વાતાવરણ સામે તોલવા જોઈએ. જો ગ્રાહકો બેંક થાપણોથી દૂર જાય છે, તો વધુ સમસ્યાઓ થઈ શકે છે.

લાંબા ગાળાના રોકાણ માટે વ્યાજ દરોમાં ફેરફાર

એક્યુબ વેન્ચર્સના ડિરેક્ટર આશિષ અગ્રવાલ કહે છે કે વ્યાજદરમાં વધારો ઘરગથ્થુ બચતને પ્રોત્સાહિત કરવા તરફના એક પગલાનો સંકેત આપશે. તાજેતરના વર્ષોમાં ઘરની બચત સ્થિર રહી છે. અગ્રવાલના મતે, સરકારે ટ્રેઝરી પર બિનજરૂરી દબાણ લાવ્યા વિના બચતને પ્રોત્સાહન આપવા માટે લાંબા ગાળાના રોકાણ માટે વ્યાજ દરોમાં ફેરફાર કરીને વ્યૂહરચના અપનાવવી જોઈએ.

  • PPF પર પહેલાની જેમ 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે
  • સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા રકમ પર 8.2 ટકા વ્યાજ આપવામાં આવે છે.
  • ત્રણ વર્ષની ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ 7.1 ટકા છે.
  • પોસ્ટ ઓફિસ સેવિંગ્સ ડિપોઝીટ પર વ્યાજ દર ચાર ટકા છે.
  • કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 7.5 ટકા છે.
  • નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર વ્યાજ દર 7.7 ટકા છે.
  • માસિક આવક યોજનાનો વ્યાજ દર વર્તમાન ક્વાર્ટરની જેમ 7.4 ટકા છે.
Next Article