STARTUP કંપનીઓને મોદી સરકારે આપી અનેક મોટી રાહતો, હવે આટલા કરોડ રૂપિયાના રોકાણ પર નહીં ભરવો પડે ANGEL TAX

|

Feb 19, 2019 | 10:20 AM

મોદી સરકારે STARTUP કંપનીઓને મોટી રાહત આપતા ANGEL TAXના નિયમોમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. TV9 Gujarati   Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો […]

STARTUP કંપનીઓને મોદી સરકારે આપી અનેક મોટી રાહતો, હવે આટલા કરોડ રૂપિયાના રોકાણ પર નહીં ભરવો પડે  ANGEL TAX

Follow us on

મોદી સરકારે STARTUP કંપનીઓને મોટી રાહત આપતા ANGEL TAXના નિયમોમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.

TV9 Gujarati

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

એક સરકારી અધિકારીએ મંગળવારે જણાવ્યું કે સરકારે સ્ટાર્ટઅપને INCOME TAX છૂટ આપવા માટે રોકાણ મર્યાદા વધારીને 25 કરોડ રૂપિયા કરી દીધી છે. હવે 25 કરોડ રૂપિયા સુધીના રોકાણ પર સ્ટાર્ટઅપ કંપનીઓને આવકવેરામાંથી મુક્તિ મળશે. હાલમાં આ આવકવેરામુક્ત મુક્તિ મર્યાદા 10 કરોડ રૂપિયા હતી. આ રોકાણમાં એંજલ રોકાણકારો દ્વારા રોકવામાં આવેલા રૂપિયા પણ સામેલ છે.

અધિકારીએ જણાવ્યું કે આવકવેરા અધિનિયમની કલમ 56(2)(7B) હેઠળ સ્ટાર્ટઅપ કંપનીઓ માટે રોકાણ પર ટૅક્સ છૂટ પામવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ટૂંકમાં જ જાહેરનામુ બહાર પડાશે. આ સાથે જ સ્ટાર્ટઅપની વ્યાખ્યામાં પણ ફેરફાર કરાયો છે. હવે તેવા એકમોને સ્ટાર્ટઅપ માનવામાં આવશે કે જે પોતાના રજિસ્ટ્રેશન કે સ્થાપના બાદ 10 વર્ષ સુધી પરિચાલન કરી રહી છે. અગાઉ આ સમયમર્યાદા 7 વર્ષ હતી.

અધિકારીએ જણાવ્યું, ‘કોઈ પણ એકમને સ્ટાર્ટઅપ ત્યારે જ માનવામાં આવશે કે જો તેનો કારોબાર રજિસ્ટ્રેશનથી લઈ અત્યાર સુધી કોઈ પણ નાણાકીય વર્ષમાં 100 કરોડ રૂપિયા કરતા વધુ નહીં હોય. હાલના સમયમાં આ મર્યાદા 25 કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત 100 કરોડ રૂપિયા નેટવર્થ કે 250 કરોડ રૂપિયાનો કારોબાર કરનાર લિસ્ટેડ કંપનીઓને યોગ્ય સ્ટાર્ટઅપમાં રોકાણને આવકવેરા અધિનિયમની કલમ 56(2)(7B)માંથી છૂટ આપવામાં આવશે. પ્રવાસીઓ, વૈકલ્પિક રોકાણ કોષ-સ્રેણી 1 દ્વારા પાત્ર સ્ટાર્ટઅપમાં 25 કરોડ રૂપિયાની મર્યાદાની ઉપરના રોકાણ પણ આ કલમ હેઠળ છૂટ મળશે. આ કલમ હેઠળ તે સ્ટાર્ટઅપ છૂટ પામવાને પાત્ર હશે કે જેમણે અચલ સંપત્તિમાં રોકાણ ન કર્યું હોય. ઉપરાંત 10 લાખ રૂપિયાથી વધુના વાહનો તથા અન્ય એકમોને ધિરાણ કે મૂડી સમર્થન ન આપ્યું હોય. જો ઉદ્યોગ તથા આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ (DPIIT) દ્વારા કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને માન્યતા અપાશે, તો તે સ્ટાર્ટઅપ પણ કલમ આવકવેરા અધિનિયમની કલમ 56(2)(7B) હેઠળ છૂટને માત્ર હશે. શરત આટલી જ છે કે આ સ્ટાર્ટઅપ કોઈ વિશેષ સમ્પત્તિમાં રોકાણ ન કરતું હોવું જોઇએ. પાત્ર સ્ટાર્ટઅપને છૂટનો લાભ મેળવવા માટે ડીપીઆઈઆઈટી સમક્ષ માત્ર હસતાક્ષરિત સ્વ-ઘોષણા કરવી પડશે. ડીપીઆઈઆઈટી આ ઘોષણાઓને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) પાસે મોકલશે આવકવેરા અધિનિયમની કલમ 56(2)(7B) હેઠળ પાત્ર સ્ટાર્ટઅપમાં રોકાણ પર છૂટ માટે શૅરોનું મૂલ્યાંકન કોઈ માપદંડ નહીં રહી જશે.’

નોંધનીય છે કે મોદી સરકારે આ પગલા એવા સમયે ભર્યા છે કે જ્યારે ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓએ દાવો કર્યો છે કે તેમને એંજલ રોકાણ પર ઇનકમ ટૅક્સ તરફથી નોટિસો મળી છે.

[yop_poll id=1597]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article