AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ દિવાળીએ દીકરીના નામે આ યોજનામાં રોકાણ કરો, સારા વળતર સાથે નાણા પણ રહેશે સુરક્ષિત

આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં એક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. ડિપોઝિટનું રોકાણ રૂ. 50 ના ગુણાંકમાં કરવું પડશે.

આ દિવાળીએ દીકરીના નામે આ યોજનામાં રોકાણ કરો, સારા વળતર સાથે નાણા પણ રહેશે સુરક્ષિત
Sukanya Samriddhi Yojana
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 1:08 PM
Share

આ દિવાળીએ જો તમે તમારી દીકરીને ગિફ્ટ આપવા માંગો છો તો તમે તેને એવી ગિફ્ટ આપી શકો છો, જેનાથી ભવિષ્યમાં તેને ફાયદો થશે. તમે તેના નામે કોઈ પણ નવું રોકાણ શરૂ કરી શકો છો. આ માટે તમે પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) માં પણ રોકાણ કરી શકો છો. તમને તેમાં ચોક્કસપણે સારું વળતર મળશે. સાથે જ, તમારા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

વ્યાજ દર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક 7.6 ટકાનો વ્યાજ દર છે. વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે અને ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે.

રોકાણની રકમ આ પોસ્ટ ઓફિસ સ્કીમ (Post Office Scheme) માં એક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. ડિપોઝિટનું રોકાણ રૂ. 50 ના ગુણાંકમાં કરવું પડશે. થાપણો એક સામટી રકમમાં કરી શકાય છે. એક મહિનામાં અથવા નાણાકીય વર્ષમાં થાપણોની સંખ્યા પર કોઈ મર્યાદા નથી.

કોણ ખોલાવી શકે ખાતુ ? આ યોજના હેઠળ વાલી 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના નામે રોકાણ કરી શકે છે. બાળકના નામે બેંક કે પોસ્ટ ઓફિસમાં માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે. આ ખાતું પરિવારમાં વધુમાં વધુ બે બાળકીઓ માટે ખોલાવી શકાય છે. જોડિયા અથવા ત્રિપુટીના જન્મના કિસ્સામાં, બે કરતાં વધુ ખાતા ખોલી શકાય છે.

વિશેષતા ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી ખાતું બંધ કરી શકાય છે. આ સિવાય છોકરીની 18 વર્ષની ઉંમરના સમયે તેના લગ્નની સ્થિતિમાં એકાઉન્ટ બંધ કરી શકાય છે. આ યોજનામાં જમા કરવામાં આવેલી રકમને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મુક્તિ આપવામાં આવી છે. આ યોજનામાં ખાતા ખોલવાની તારીખથી મહત્તમ 15 વર્ષ સુધી જમા કરાવી શકાય છે. જો નાણાંકીય વર્ષમાં ખાતામાં 250 રૂપિયાની ન્યૂનતમ રકમ જમા ન થઈ હોય, તો ખાતાને ડિફોલ્ટ એકાઉન્ટ તરીકે ગણવામાં આવશે. ડિફોલ્ટેડ ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં પુનઃજીવિત કરી શકાય છે. આ માટે, દરેક ડિફોલ્ટ વર્ષ માટે ઓછામાં ઓછા 250 રૂપિયા વત્તા 50 રૂપિયા ડિફોલ્ટ ચૂકવવા પડશે.

આ પણ વાંચો: મંડપમાં એન્ટ્રી માટે વરરાજાની સાળીઓએ રાખી વિચિત્ર શરતો, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો: ગુજરાતના કપડવંજમાં ખેડૂતો છેતરાયા, નકલી બિયારણથી નુકશાનની ભીતિ

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">