AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ દિવાળીએ દીકરીના નામે આ યોજનામાં રોકાણ કરો, સારા વળતર સાથે નાણા પણ રહેશે સુરક્ષિત

આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં એક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. ડિપોઝિટનું રોકાણ રૂ. 50 ના ગુણાંકમાં કરવું પડશે.

આ દિવાળીએ દીકરીના નામે આ યોજનામાં રોકાણ કરો, સારા વળતર સાથે નાણા પણ રહેશે સુરક્ષિત
Sukanya Samriddhi Yojana
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 1:08 PM
Share

આ દિવાળીએ જો તમે તમારી દીકરીને ગિફ્ટ આપવા માંગો છો તો તમે તેને એવી ગિફ્ટ આપી શકો છો, જેનાથી ભવિષ્યમાં તેને ફાયદો થશે. તમે તેના નામે કોઈ પણ નવું રોકાણ શરૂ કરી શકો છો. આ માટે તમે પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) માં પણ રોકાણ કરી શકો છો. તમને તેમાં ચોક્કસપણે સારું વળતર મળશે. સાથે જ, તમારા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

વ્યાજ દર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક 7.6 ટકાનો વ્યાજ દર છે. વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે અને ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે.

રોકાણની રકમ આ પોસ્ટ ઓફિસ સ્કીમ (Post Office Scheme) માં એક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. ડિપોઝિટનું રોકાણ રૂ. 50 ના ગુણાંકમાં કરવું પડશે. થાપણો એક સામટી રકમમાં કરી શકાય છે. એક મહિનામાં અથવા નાણાકીય વર્ષમાં થાપણોની સંખ્યા પર કોઈ મર્યાદા નથી.

કોણ ખોલાવી શકે ખાતુ ? આ યોજના હેઠળ વાલી 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના નામે રોકાણ કરી શકે છે. બાળકના નામે બેંક કે પોસ્ટ ઓફિસમાં માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે. આ ખાતું પરિવારમાં વધુમાં વધુ બે બાળકીઓ માટે ખોલાવી શકાય છે. જોડિયા અથવા ત્રિપુટીના જન્મના કિસ્સામાં, બે કરતાં વધુ ખાતા ખોલી શકાય છે.

વિશેષતા ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પછી ખાતું બંધ કરી શકાય છે. આ સિવાય છોકરીની 18 વર્ષની ઉંમરના સમયે તેના લગ્નની સ્થિતિમાં એકાઉન્ટ બંધ કરી શકાય છે. આ યોજનામાં જમા કરવામાં આવેલી રકમને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મુક્તિ આપવામાં આવી છે. આ યોજનામાં ખાતા ખોલવાની તારીખથી મહત્તમ 15 વર્ષ સુધી જમા કરાવી શકાય છે. જો નાણાંકીય વર્ષમાં ખાતામાં 250 રૂપિયાની ન્યૂનતમ રકમ જમા ન થઈ હોય, તો ખાતાને ડિફોલ્ટ એકાઉન્ટ તરીકે ગણવામાં આવશે. ડિફોલ્ટેડ ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષ પૂર્ણ થાય તે પહેલાં પુનઃજીવિત કરી શકાય છે. આ માટે, દરેક ડિફોલ્ટ વર્ષ માટે ઓછામાં ઓછા 250 રૂપિયા વત્તા 50 રૂપિયા ડિફોલ્ટ ચૂકવવા પડશે.

આ પણ વાંચો: મંડપમાં એન્ટ્રી માટે વરરાજાની સાળીઓએ રાખી વિચિત્ર શરતો, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો: ગુજરાતના કપડવંજમાં ખેડૂતો છેતરાયા, નકલી બિયારણથી નુકશાનની ભીતિ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">