Liquidity Crisis : તહેવારોની સિઝનમાં મોટી ધિરાણની માંગને કારણે બેંકો સામે રોકડની તંગીનો પડકાર, ટૂંક સમયમાં આ પગલાં ભરાઈ શકે છે

|

Oct 13, 2022 | 6:12 AM

મોટી ધિરાણની માંગને કારણે બેંકો રોકડની તંગીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં તેમના પર રોકડ એકત્ર કરવા માટે થાપણ દરમાં વધારો કરવાનું દબાણ વધ્યું છે. આરબીઆઈએ 23 સપ્ટેમ્બર, 2022ના રોજ ડેટા જાહેર કર્યો હતો. જે મુજબ લોનની માંગ 16.4 ટકાના 9 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.

Liquidity Crisis : તહેવારોની સિઝનમાં મોટી ધિરાણની માંગને કારણે બેંકો સામે રોકડની તંગીનો પડકાર, ટૂંક સમયમાં આ પગલાં ભરાઈ શકે છે
Symbolic Image

Follow us on

તહેવારોની સિઝન ( Festive Season)શરૂ થઈ ગઈ છે. નવરાત્રીનો તહેવાર પૂરો થઈ ગયો છે અને દિવાળી, ધનતેરસ અને છઠનો તહેવાર આવવાનો છે. તહેવારોની સિઝનમાં લોકો ખુબ ખરીદી કરે છે. ચાલુ વર્ષે પણ તહેવારોની સિઝનમાં ખરીદી ધીમેધીમે વધી રહી છે. જેના કારણે લોનની માંગ પણ જોવા મળી રહી છે. ધિરાણની માંગ(Credit Demand In Festive Season)માં વધારો, તહેવારોની મોસમને કારણે વપરાશમાં વધારો અને રૂપિયામાં નબળાઈને રોકવા માટે આરબીઆઈ દ્વારા ડોલર વેચવાને કારણે બેંકિંગ સિસ્ટમ તરલતાની તંગીનો સામનો કરી રહી છે.

બેંકોમાં રોકડની તંગી

વેઇટેડ એવરેજ કોલ રેટ(Weighted Average Call Rate) 30 એપ્રિલ 2019 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે જે એ દર્શાવવા માટે પૂરતો છે કે બેન્કિંગ સિસ્ટમ રોકડની તંગીનો સામનો કરી રહી છે. વેઇટેડ એવરેજ કોલ રેટ રેપો રેટ કરતાં 21 બેસિસ પોઈન્ટ્સ ઊંચો 6.11 ટકા છે જે 6.15 ટકા માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીની નજીક છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીએ આરબીઆઈ(RBI)ના વ્યાજ દરનું ટોચનું સ્તર છે. જ્યારે પણ બેન્કો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી હેઠળ આરબીઆઈ પાસેથી લોન લે છે ત્યારે તેમણે કેન્દ્રીય બેન્કને વધુ વ્યાજ ચૂકવવું પડે છે અને જ્યારે તેઓ રોકડની તંગીનો સામનો કરે છે ત્યારે જ બેંકો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી હેઠળ લોન લે છે. સોમવારે 10 ઓક્ટોબર, 2022 ના રોજ બેંકોએ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી દ્વારા RBI પાસેથી 21,000 કરોડ રૂપિયાની લોન લીધી છે.

સપ્ટેમ્બરમાં પણ રોકડની તંગી હતી

નિષ્ણાતોનું માનવું છે કે આરબીઆઈ દ્વારા ડોલરનું વેચાણ, તહેવારોની સિઝનમાં લોનની ભારે માંગ અને સરકાર પાસે રોકડ સંતુલનને કારણે રોકડની કટોકટી ઊભી થઈ છે. સપ્ટેમ્બરમાં ત્રણ વર્ષમાં પ્રથમ વખત રોકડની તંગી આવી હતી ત્યારબાદ આરબીઆઈએ દરમિયાનગીરી કરવી પડી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

લોનની માંગથી સમસ્યાઓ વધી

મોટી ધિરાણની માંગને કારણે બેંકો રોકડની તંગીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં તેમના પર રોકડ એકત્ર કરવા માટે થાપણ દરમાં વધારો કરવાનું દબાણ વધ્યું છે. આરબીઆઈએ 23 સપ્ટેમ્બર, 2022ના રોજ ડેટા જાહેર કર્યો હતો. જે મુજબ લોનની માંગ 16.4 ટકાના 9 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે જ્યારે થાપણ વૃદ્ધિ દર માત્ર 9.2 ટકા રહ્યો છે. જે બાદ બેંકો પર ડિપોઝીટ વધારવાનું દબાણ વધવા લાગ્યું છે.

ડિપોઝિટના દરો વધારવામાં મુશ્કેલી

આરબીઆઈએ મેથી સપ્ટેમ્બર દરમિયાન રેપો રેટમાં 190 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. રેપો રેટ 4 ટકાથી વધીને 5.90 ટકા થયો છે. જેમની બેંકોએ થાપણો પરની લોન પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. જો કે, દેવું મોંઘુ થવાને કારણે થાપણો પરના દરો એ ગતિએ વધ્યા નથી.

Next Article