જાણો ઓપન બજારમાં ક્યારે મળશે કોરોનાની વેક્સિન, સરકારી ભાવથી કેટલો અલગ હશે ભાવ?

|

Apr 21, 2021 | 11:13 AM

એક અહેવાલ કોરોનાના વધતા જતા કેસો સાથે હવે 1 મેથી, 18 વર્ષથી વધુ ઉંમરના દરેકને કોરોના રસી મળશે અને ટૂંક સમયમાં આ રસી બજારમાં પણ ઉપલબ્ધ થશે.

જાણો ઓપન બજારમાં ક્યારે મળશે કોરોનાની વેક્સિન, સરકારી ભાવથી કેટલો અલગ હશે ભાવ?
File Image

Follow us on

ભારતમાં વાયરસ સામે રસીકરણ શરુ છે. કોરોનાના વધતા જતા કેસો સાથે હવે 1 મેથી, 18 વર્ષથી વધુ ઉંમરના દરેકને કોરોના રસી મળશે અને ત્યાર બાદ આ રસી બજારમાં પણ ઉપલબ્ધ થશે. જોકે માર્કેટમાં રસીના ભાવની જાહેરાત અત્યાર સુધી કરવામાં નથી આવી, પરંતુ એવું માનવામાં આવે છે કે મોટાભાગની કોરોના રસીની કિંમત માત્રા દીઠ રૂ. 700 થી 1000 રૂપિયા હોઈ શકે છે. જણાવી દઈએ કે આજ સુધી ખાનગી બજારમાં રસી ઉપલબ્ધ નથી અને રસી ઉત્પાદક કંપનીઓ કેન્દ્ર સરકારને માત્રા દીઠ 250 રૂપિયા વેચે છે.

કેટલી હશે કિંમત!

એક સમાચાર મુજબ, જ્યારે રસી બજારમાં આવશે ત્યારે તેની કિંમત માત્રા દીઠ રૂ. 700 થી 1000 સુધી હોઇ શકે છે. જોકે, સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પૂનાવાલાએ પહેલેથી જ કહ્યું હતું કે કોવિશિલ્ડની કિંમત બજારમાં ડોઝ દીઠ એક હજાર રૂપિયા હોઈ શકે છે. તે જ સમયે રશિયન રસી સ્પુટનિક-વી ભારતમાં આયાત કરવાની તૈયારી થઇ રહી છે, ટે ડો. રેડ્ડીઝની રસીની કિંમત 750 રૂપિયાની અંદર હોઈ શકે છે. જોકે આ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સમાચારો અનુસાર, કંપનીએ રસીના ભાવ અંગે હજી સુધી કોઈ જાહેરાત કરી નથી. પરંતુ રસીની કિંમત કંપનીઓને બજારમાં કેટલી રસી વેચવાની મંજૂરી અપાય છે તેના પર નિર્ભર રહેશે. આ સિવાય નિકાસ અને સપ્લાય ચેઇનના મુદ્દાઓની વિચારણા પણ રસીના ભાવ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય કંપનીઓ માટે રાહ જોઈ રહી છે કે રાજ્યોને રસીના ભાવ અંગે કેન્દ્ર સરકાર શું આદેશ આપે છે. તે જ સમયે રસી 1 મેથી દુકાનોમાં ઉપલબ્ધ થશે, તેની સંભાવના પણ ઓછી છે, કારણ કે અત્યાર સુધીમાં ન તો કિંમતોની ઘોષણા કરવામાં આવી છે કે ન સરકારે આ અંગે કોઈ આદેશ જારી કર્યો છે.

જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 1 મેથી દેશભરમાં કોરોના રસીકરણનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, જેમાં યુવાનોને પણ આવરી લેશે. અત્યાર સુધીમાં ફક્ત 45 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવતી હતી. જોકે દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ યુવાનોને રસી આપવાની માંગ કરી હતી.

 

આ પણ વાંચો: રેમડેસિવિરને લઈને મોદી સરકારે લીધો મોટો નિર્ણય, ઉત્પાદન વધશે અને ભાવ ઘટશે જાણો કઈ રીતે

આ પણ વાંચો: બજાજ ઓટોએ લોન્ચ કર્યું ધમાકેદાર નવું પલ્સર બાઈક, જાણો શું છે કિંમત અને ખાસિયત

Next Article