Jio Financial નો શેર આજે પણ 5 ટકા તૂટ્યો, સતત ત્રીજા દિવસે લોઅર સર્કિટ

Jio Financial Share Price: છેલ્લા ત્રણ દિવસથી સતત લોઅર સર્કિટને કારણે Jio Financialની માર્કેટ મૂડીમાં રૂ. 23,700 કરોડથી વધુનો ઘટાડો થયો છે.

Jio Financial નો શેર આજે પણ 5 ટકા તૂટ્યો, સતત ત્રીજા દિવસે લોઅર સર્કિટ
Jio Financial
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 4:53 PM

બુધવારે સતત ત્રીજા દિવસમાં Jio ફાઇનાન્શિયલ સર્વિસિસ (Jio Financial Services Share) ના શેર 5% ઘટ્યા હતા. આ રીતે આ શેરમાં આજે સતત ત્રીજા દિવસે લોઅર સર્કિટ લાગી હતી. સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલીથી શેરનો ભાવ આજે ઘટીને રૂ.224.65 થયો હતો. આ રીતે, છેલ્લા ત્રણ દિવસમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપનીની માર્કેટ મૂડીમાં રૂ. 23,700 કરોડથી વધુનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો : Jio Financial Services: જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ BSE પર રૂ. 265 પર લિસ્ટેડ, થોડી જ વારમાં શેર્સમાં લાગી લોઅર સર્કિટ

અગાઉ મંગળવારે એશિયા ઇન્ડેક્સ પ્રાઇવેટ લિમિટેડે સેન્સેક્સ સહિત BSEના અન્ય તમામ મુખ્ય સૂચકાંકોમાંથી આ સ્ટોકને બાકાત રાખવાના નિર્ણયને ત્રણ દિવસ માટે મુલતવી રાખ્યો હતો. BSE અને NSEના તમામ મુખ્ય સૂચકાંકો સહિત Jio ફાઇનાન્સિયલ સર્વિસિસના શેર સેન્સેક્સ અને નિફ્ટી50નો સમાવેશ થાય છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

મુખ્ય સૂચકાંકોમાં અસ્થાયી રૂપે સમાવવામાં આવ્યું હતું

20 જુલાઇના રોજ મુખ્ય સૂચકાંકોમાં જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસનો સામેલ કરવામાં આવ્યો હતો. શેર રૂ. 261.8 ના સ્થિર ભાવ સાથે ઇન્ડેક્સમાં એન્ટર થયો હતો. મુખ્ય સ્ટોક એક્સચેન્જો દ્વારા આયોજિત સ્પેશિયલ પ્રી-ઓપન સેશનમાં Jio Financial ની કિંમત 261.8 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

જો ત્રણ દિવસના સમયગાળામાં આ સ્ટૉકમાં નીચલી સર્કિટ જોવા નહીં મળે, તો જિયો ફાઇનાન્શિયલને 29 ઑગસ્ટના રોજ S&P BSE સૂચકાંકોમાંથી બાકાત રાખવામાં આવશે.જો આ સ્ટોક ગુરુવારે પણ નીચલી સર્કિટ પર અથડાશે, તો સૂચકાંકોમાંથી તેને દૂર કરવાની તારીખ બીજા ત્રણ દિવસ માટે મોકૂફ રાખવામાં આવશે.સ્થાનિક બજારમાં વેચવાલી ચાલુ રહેવાને કારણે, આ શેરને FTSE અને MSCI સૂચકાંકોમાં સમાવિષ્ટ કર્યા પછી પણ કોઈ ટેકો મળ્યો નથી.આજે Jio ફાઈનાન્શિયલની પેરેન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 0.3 ટકાના વધારા સાથે રૂ. 2,526.90ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

માર્કેટ ગ્રીન સિગ્નલ સાથે બંધ થયું

બુધવાર, 23 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 213 પોઈન્ટ ઉછળ્યો હતો. તે જ સમયે, નિફ્ટી વધીને 19,450 ની નજીક પહોંચી ગયો હતો. બેંકિંગ શેરોએ બજારમાં આજની તેજીની આગેવાની લીધી હતી. આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ અને કેપિટલ ગુડ્સ શેર્સનો ઈન્ડેક્સ પણ 1 ટકાથી વધુ વધીને બંધ રહ્યો હતો. જેના કારણે આજે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 67,000 કરોડનો વધારો થયો છે. બ્રોડર માર્કેટ પણ લીલુંછમ રહ્યું હતું. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 0.42% અને 0.60% ના વધારા સાથે બંધ થયા છે. જો કે આજે પાવર, યુટિલિટી અને ઓટો શેરોમાં વેચવાલીનું વલણ હતું.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">