કોઈપણ દંડ વિના નાણાકીય વર્ષ 2021-2022 અને આકારણી વર્ષ 2022-2023 માટે આવકવેરા રિટર્ન (IT Return)ફાઈલ કરવાની છેલ્લી તારીખ પસાર થઈ ગઈ છે. 31 જુલાઈ 2022 સુધી દેશભરમાં 5.83 કરોડ લોકોએ ITR ફાઈલ કર્યું છે. ઘણા લોકોને ITR ફાઈલ કર્યા પછી તેમનું ITR રિફંડ સ્ટેટસ(ITR Refund Status) મળી ગયું છે પરંતુ હજુ સુધી ઘણા લોકોને તેમનું રિફંડ(IT Refund) મળ્યું નથી. જો તમને પણ હજુ સુધી રિફંડ મળ્યું નથી, તો તમે આવકવેરા રિફંડની સ્થિતિ તપાસવા માટે NSDLની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
આવકવેરા વિભાગના નિયમો અનુસાર ITR ફાઇલ કર્યાના દસ દિવસ પછી કરદાતાઓ તેમના રિફંડની સ્થિતિ જાણી શકે છે. ITR ઈ-ફાઈલિંગ પછી કરદાતાઓને 20 થી 60 દિવસમાં રિફંડ મળે છે. આ સાથે તમે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઈ-મેલને ફોલો કરતા રહ્યા. જો તમે ITR ફાઈલ કર્યા પછી તમારી રિફંડની સ્થિતિ ઓનલાઈન તપાસવા ઈચ્છો છો, તો અમે તમને પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છીએ.
કરદાતાઓ ઘણી રીતે ITR રિફંડની સ્થિતિ ચકાસી શકે છે. કરદાતાઓ આ કામ આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ અને NSDLની વેબસાઈટ દ્વારા કરી શકે છે. સ્વીકૃતિ નંબર અને પાન નંબરની મદદથી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સ્ટેટસ ચેક કરી શકાય છે.
જો ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR Filing) 31 જુલાઈ સુધીમાં ભર્યુ છે તો તેનું વેરિફિકેશન પણ કરી લો. આ કામ પૂર્ણ કરવું એ ITR ફાઈલ કરવા જેટલું જ મહત્વપૂર્ણ છે. ખાસ વાત એ છે કે તમને ITR વેરિફિકેશન માટે આ વખતે માત્ર 30 દિવસનો સમય મળશે. પહેલા આ સમયગાળો 120 દિવસનો હતો તો પછી વિલંબ શાનો? ITR વેરિફિકેશન તરત જ કરાવો. આ કામ ઓનલાઈન પણ થઈ શકે છે. જો તમે ઈચ્છો તો તમે બેંગલોર CPC ઓફિસને પત્ર મોકલીને પણ આ કામ કરી શકો છો. પરંતુ જ્યારે તમને આ સુવિધા ઘરે બેઠા મળી રહી છે, ત્યારે આટલી મહેનત શા માટે કરો.
120 દિવસની જગ્યાએ 30 દિવસની અંદર ITR વેરિફિકેશન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તેના વિશે સીબીડીટીએ જણાવ્યું છે. સીબીડીટીએ 29 જુલાઈ, 2022ના રોજ આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 30 દિવસની અંદર 1 ઓગસ્ટના રોજ ભરેલ ITRની ચકાસણી કરવી જરૂરી રહેશે. એટલે કે, જો તમે 31 જુલાઈ સુધી તમારું ITR ફાઈલ કર્યું નથી તો 30-દિવસનો નિયમ તમારી સાથે લાગુ થશે નહીં. જે લોકો 1 ઓગસ્ટ પછી ITR ફાઈલ કરશે, તેમણે 120 દિવસમાં નહીં પણ 30 દિવસમાં ITR વેરિફિકેશન કરવું પડશે.
Published On - 7:08 am, Wed, 10 August 22