ભાગેડુ Vijay Mallayaને ભારત લાવવો સરળ રહેશે , UK HC ના ચુકાદાથી ભારતીય બેંકોનું મનોબળ વધ્યું

|

Jul 27, 2021 | 9:37 AM

તાજેતરમાં, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની આગેવાની હેઠળના બેંકોના કન્સોર્ટિયમએ કિંગફિશર એરલાઇન્સના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના શેર વેચીને 792.12 કરોડ રૂપિયા વસૂલ્યા છે.

ભાગેડુ Vijay Mallayaને ભારત લાવવો સરળ રહેશે , UK HC ના ચુકાદાથી ભારતીય બેંકોનું મનોબળ વધ્યું
Vijay_Mallya

Follow us on

ભારત તરફથી ભાગેડુ જાહેર કરાયેલા ભાગેડુ ઉદ્યોગપતિ વિજય મલ્યા(Fugitive Vijay Mallaya)ને સોમવારે યુકે હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. લંડન હાઇકોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો છે. ૧ અબજ પાઉન્ડના લેણાં બાબતે આનિર્ણય લેવાયો છે. UK હાઇકોર્ટના ચુકાદાથી ભારતીય બેંકોનું મનોબળ વધ્યું છે અને માલ્યાને ભારત લાવવામાં સરળતા રહેવાની આશા સેવાઈ રહી છે.

આ સાથે જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના નેતૃત્વમાં ભારતીય બેંકોના કન્સોર્ટિયમે માલ્યાની કંપની કિંગફિશર એરલાઇન્સને અપાયેલી લોનની વસૂલાત સંબંધિત કેસ જીત્યો છે. લંડન હાઈકોર્ટના આ નિર્ણયથી હવે વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવાનો માર્ગ મોકળો થયો છે. જોકે માલ્યા દ્વારા હાઇકોર્ટના આદેશની વિરુદ્ધ અપીલ કરવામાં આવી શકે છે.

મે 2021 માં વર્ચુઅલ સુનાવણી દરમિયાન, લંડન હાઈકોર્ટે ભારતમાં ઉદ્યોગપતિની સંપત્તિની સુરક્ષા માફ કરવાની તરફેણમાં બેંકોની નાદારીની અરજીમાં સુધારો કરવાની અરજીને સમર્થન આપ્યું હતું. બેંકોએ 65 વર્ષીય ઉદ્યોગપતિ પર કેસ સ્થગિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો અને નાદારી અરજીને સમાપ્ત કરવા હાકલ કરી હતી. વિજય માલ્યા યુકેમાં જામીન પર બહાર હોવાનું મનાય છે જ્યારે પ્રત્યાર્પણની કાર્યવાહીના સંબંધમાં ગુપ્ત કાનૂની કેસનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

1 અબજ પાઉન્ડથી વધુ લેણું
SBIની આગેવાની હેઠળના કન્સોર્ટિયમમાં બેંક ઓફ બરોડા, કોર્પોરેશન બેંક, ફેડરલ બેંક લિમિટેડ, આઈડીબીઆઈ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, જમ્મુ-કાશ્મીર બેંક, પંજાબ અને સિંધ બેંક, પંજાબ નેશનલ બેન્ક, સ્ટેટ બેંક ઓફ મૈસુર, યુકો બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા સામેલ છે અને જેએમ ફાઇનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પ્રા. લિમિટેડ તેમજ વધારાના લેણદાર યુકેમાં લોન અંગેના નિર્ણય પછી નાદારીના આદેશનું પાલન કરી રહયું છે જે 1 અબજ પાઉન્ડથી વધુ છે.

અત્યાર સુધી બેંકોએ આટલી બધી વસૂલાત કરી છે
તાજેતરમાં, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની આગેવાની હેઠળના બેંકોના કન્સોર્ટિયમએ કિંગફિશર એરલાઇન્સના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના શેર વેચીને 792.12 કરોડ રૂપિયા વસૂલ્યા છે. આ માહિતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 16 જુલાઈએ આપવામાં આવી હતી. વિજય માલ્યા કેસમાં આ શેર ઇડી દ્વારા કન્સોર્ટિયમને સોંપવામાં આવ્યા હતા. અગાઉ આ જ કન્સોર્ટિયમેં 7,181.50કરોડની વસૂલાત ઇડી દ્વારા સોંપેલી સંપત્તિની લીકવીડિટી દ્વારા કરી હતી. આ ઉપરાંત નીરવ મોદી કેસમાં ભાગેડુ આર્થિક ગુના અદાલતે બેંકોને 1,060 કરોડની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપી છે.

 

Next Article