આકારણી વર્ષ (Assessment year)2022-23 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન(Income Tax Return) ભરવાની છેલ્લી તારીખ પસાર થઈ ગઈ છે. હવે કરદાતાઓ તેમના રિફંડ મેળવવાની રાહ જોઈ રહ્યા છે. જો કે આવકવેરા વિભાગ તમારા પોતાના પૈસા રિફંડ તરીકે પરત કરે છે પરંતુ તેમ છતાં લોકો તેને બોનસ માને છે અને તેની આતુરતાથી રાહ જુએ છે. ઘણી વખત સમયસર રિટર્ન ફાઇલ કરવા છતાં તમારું રિફંડ આવતું નથી અને કરદાતા તેના પૈસા ફસાયેલા છે કે કેમ તેની ચિંતા કરે છે. ટેક્સ મામલાના નિષ્ણાત અને CA અતુલ જૈન જણાવે છે કે જો તમે પણ આ જ ડરનો સામનો કરી રહ્યાં છો? પણ સમય વીતી જવા છતાં રિફંડ ન મળે તો તેના માટે મુખ્યત્વે 5 કારણો જવાબદાર હોઈ શકે છે. આ ભૂલોને કારણે વિભાગ તમારું રિફંડ અટકાવી શકે છે. વિભાગ સામાન્ય રીતે 25 થી 60 દિવસમાં તમારું રિફંડ પરત કરે છે.
રિફંડ અટકી જવા પાછળનું આ મોટાભાગનું સૌથી મોટું કારણ છે. આવકવેરા વિભાગને કરદાતાઓ પાસેથી ઘણીમાહિતીની જરૂર રહે છે. તેથી, જરૂરી દસ્તાવેજો મેળવ્યા પછી જ વિભાગ તમારા રિફંડની પ્રક્રિયા કરે છે. જો તમને પણ ખબર પડે કે કોઈ દસ્તાવેજ ખૂટે છે તો તમારા આકારણી અધિકારીનો સંપર્ક કરો અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરો અને રસીદ પણ મેળવો.
ઘણા કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે કરદાતા દ્વારા રિફંડના ક્લેમમાં જણાવેલ રકમ વિભાગની આકારણી સાથે મેળ ખાતી નથી. જો આમ થાય તો પણ તમારું રિફંડ અટકી શકે છે. જો કે, આવા કિસ્સાઓમાં, આવકવેરા વિભાગ તમને નોટિસ મોકલીને જાણ કરશે કે તમારા દ્વારા જે રિફંડની માંગ કરવામાં આવી રહી છે તે ખોટી છે.
ઘણી વખત કરદાતા તેના આવકવેરા રિટર્નમાં મેળ ખાતી અથવા ખોટી વિગતો ભરે છે જેના કારણે તેનું રિફંડ અટકી જાય છે. આવી સ્થિતિમાં શક્ય છે કે તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી અને વિભાગ પાસે ઉપલબ્ધ માહિતી વચ્ચે તફાવત હોય છે . આમાં સૌથી સામાન્ય ભૂલ બેંક ખાતાની હોય છે. જો તમે યોગ્ય બેંક એકાઉન્ટ અથવા સાચી ખાતાની વિગતો નહીં ભરો તો તમારું રિફંડ ચોક્કસપણે અટકી જશે.
જો તમે તમારી ટેક્સ જવાબદારીનું યોગ્ય રીતે મૂલ્યાંકન ન કર્યું હોય અને વિભાગ દ્વારા માંગવામાં આવેલા ટેક્સ કરતાં ઓછો જમા કરાવો તો પણ તમારું રિફંડ અટકી જાય છે. આવા કિસ્સામાં પણ, વિભાગ તમને બાકી ટેક્સ માટે પૂછતી નોટિસ મોકલે છે અને તે ચૂકવ્યા પછી તમને રિફંડ આપવામાં આવે છે.
જો તમે તમારું બેંક એકાઉન્ટ પ્રી-વેરિફાઈ કર્યું નથી જેમાં રિફંડ આવવાનું છે તો આના કારણે પૈસા પણ ફસાઈ શકે છે. કરદાતાએ આવકવેરા રિટર્નમાં તેના બેંક ખાતાની વિગતો ભરતા પહેલા ખાતાને પ્રી-વેલિડેટ કરવું જોઈએ. આ ઉપરાંત કેટલાક કરદાતાઓ સમયસર તેમના રિટર્ન ફાઇલ કરે છે પરંતુ નિર્ધારિત સમયની અંદર ITR ની ચકાસણી કરતા નથી. આ કારણોસર તમારું રિફંડ પણ અટકી શકે છે.
જો બધું બરાબર હોવા છતાં પણ તમને રિફંડ મળ્યું નથી, તો તમારે સૌથી પહેલા તમારી બેંક સાથે વાત કરવી જોઈએ. ઘણી વખત આવકવેરા વિભાગ દ્વારા રિફંડ જારી કરવા છતાં બેંક તેને તમારા ખાતામાં જમા કરવામાં વિલંબ કરે છે. જો વાત આ પણ ન હોય તો તમે વિભાગની સત્તાવાર વેબસાઇટ દ્વારા ફરિયાદ મોકલી શકો છો અથવા તમે ટોલ ફ્રી નંબર દ્વારા તમારા રિફંડ અંગે વિભાગ પાસેથી માહિતી પણ મેળવી શકો છો.