Israel-Palestine War : ભારતીય શેરબજાર ઘટાડા સાથે શરૂ, શું રોકાણકારો માટે આ એન્ટ્રી ટાઇમ છે ?

Israel-Palestine War: ભારતીય શેરબજારના આ ઘટાડાથી શરૂઆતના સત્રમાં BSEના માર્કેટ કેપમાં રૂ. 2.42 લાખ કરોડનો ઘટાડો થયો હતો. શુક્રવારે બજાર બંધ થયું ત્યાં સુધી BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3,19,86,272.55 હતું. જે સોમવારે સવારે 11 વાગ્યા સુધીમાં ઘટીને 3,17,43,330.93 રૂપિયા પર આવી ગયો હતો. સોમવારે સવારે 9.15 થી 11 વાગ્યાની વચ્ચે બજારમાંથી લગભગ રૂ. 2.42 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

Israel-Palestine War : ભારતીય શેરબજાર ઘટાડા સાથે શરૂ, શું રોકાણકારો માટે આ એન્ટ્રી ટાઇમ છે ?
Sensex And Nifty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 11:54 AM

ઇઝરાયેલ પર હમાસના યુદ્ધની અસર ભારતીય શેરબજાર પર પણ થઇ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. સોમવારના પ્રારંભિક સત્રમાં, BSE સેન્સેક્સ 407.19 પોઈન્ટ ઘટીને 65,588.44 પોઈન્ટ પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 142.70 પોઈન્ટના ઘટાડા સાથે 19,510.80 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.

ભારતીય શેરબજારના આ ઘટાડાથી શરૂઆતના સત્રમાં BSEના માર્કેટ કેપમાં રૂ. 2.42 લાખ કરોડનો ઘટાડો થયો હતો. શુક્રવારે બજાર બંધ થયું ત્યાં સુધી BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3,19,86,272.55 હતું. જે સોમવારે સવારે 11 વાગ્યા સુધીમાં ઘટીને 3,17,43,330.93 રૂપિયા પર આવી ગયો હતો. સોમવારે સવારે 9.15 થી 11 વાગ્યાની વચ્ચે બજારમાંથી લગભગ રૂ. 2.42 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

રોકાણકારોમાં ડરનો માહોલ

બજારના જાણકારોના મતે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે, જેના કારણે રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે. આજે બજારમાં જે શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, ટાઈટન, ઈન્ડસઈન્ડ બેન્ક અને એશિયન પેઈન્ટ્સના શેરનો સમાવેશ થાય છે. જ્યારે એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર અને સન ફાર્માના શેર નફામાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર જોવા મળી રહી છે

પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર માત્ર ભારતીય બજાર પર જ નહીં પરંતુ અન્ય એશિયન બજારો પર પણ જોવા મળી હતી. અન્ય એશિયન બજારોમાં પણ ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જોકે શુક્રવારે યુરોપિયન બજારો વધારા સાથે બંધ થયા હતા. શુક્રવારે અમેરિકન બજારો પણ નફામાં હતા. પરંતુ આજે જ્યારે આ બજારો સાંજના સમયે ખુલશે ત્યારે જોવાનું રહેશે કે ત્યાં તેની શું પ્રતિક્રિયા આવશે. કાચા તેલની વાત કરીએ તો વૈશ્વિક લેબલ પર બ્રેન્ટ ક્રૂડ 3.68 ટકા વધીને બેરલ દીઠ $87.69 પર પહોંચી ગયું છે. અગાઉ શુક્રવારે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી રૂ. 90.29 કરોડના શેર વેચ્યા હતા.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">