IndusInd Bankની ચેતવણી ED તપાસમાં દોષિત તમામ કર્મચારીઓ સામે લેવાશે પગલાં

|

Jul 14, 2022 | 5:00 PM

IndusInd Bank કહ્યું કે જો ઈડીની તપાસ દરમિયાન તેનો કોઈ કર્મચારી કોઈપણ પ્રકારના ગેરકાયદે વ્યવહારમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

IndusInd Bankની ચેતવણી ED તપાસમાં દોષિત તમામ કર્મચારીઓ સામે લેવાશે પગલાં
IndusInd-Bank

Follow us on

ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંકે (Indusind Bank) બુધવારે જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED- Enforcement Directorate) ની તપાસ દરમિયાન જો તેનો કોઈ કર્મચારી કોઈપણ પ્રકારના ગેરકાયદે વ્યવહારમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બેંકે સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કહ્યું કે આ મામલો ચેન્નાઈમાં EDની પ્રાદેશિક કચેરીની તપાસ સાથે સંબંધિત છે. હકીકતમાં, 2011 અને 2014 વચ્ચે થયેલા આયાત સોદા માટે વિદેશમાં મોકલવામાં આવેલી કેટલીક કથિત અનિયમિતતાઓ તપાસ હેઠળ છે.

મીડિયા રિપોર્ટ્સ બાદ ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં 3.42 ટકાનો ઘટાડો થયો હતો

આ જૂના મામલામાં કેટલાક મીડિયા રિપોર્ટ્સ બાદ બેંકે આ સ્પષ્ટતા આપી છે. આ સમાચાર આવ્યા પછી, BSE (Bombay Stock Exchange)માં IndusInd Bankનો શેર 3.42 ટકા સુધી ગગડી ગયો. ઇન્ડસઇન્ડ બેન્કે જણાવ્યું હતું કે તેણે આ સમયગાળા દરમિયાન તેના સ્તરે અનેક શંકાસ્પદ વ્યવહારો અંગે નિયમનકારી અધિકારીઓને જાણ કરી હતી.

વર્ષ 2015માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઇન્ડસઇન્ડ બેંકને દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઇન્ડસઇન્ડ બેંકે કહ્યું કે, વર્ષ 2015માં બેંકે કેટલીક કંપનીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. ઓક્ટોબર 2015માં આ બાબતની સમીક્ષા કર્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંક પર દંડ પણ લગાવ્યો હતો. તેની માહિતી 28 જુલાઈ 2016ના રોજ સ્ટોક એક્સચેન્જને આપવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કેટલીક કંપનીઓ ઉપરાંત બેંકના કર્મચારીઓના નામ પણ FIRમાં સામેલ છે.

9 જુલાઈ, 2022 ના રોજ, EDએ આ જૂના કેસમાં ચેન્નાઈના એક પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે, જેમાં કેટલીક કંપનીઓ સિવાય ઇન્ડસઇન્ડ બેંકના કેટલાક કર્મચારીઓના નામ પણ સામેલ છે. બેંકે કહ્યું કે આમાંના મોટાભાગના કર્મચારીઓ હવે તેનો ભાગ નથી.

આ સાથે બેંકે કહ્યું કે, જો કોઈ કર્મચારી કોઈપણ પ્રકારના ગેરકાયદે વ્યવહારમાં સંડોવાયેલો જણાશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંક હિન્દુજા ગ્રુપની કંપની છે. ઇન્ડસઇન્ડ બેંકનું મુખ્ય મથક મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આવેલું છે. બેંકના વર્તમાન CEO સુમંત કઠપાલિયા છે. બેંકે વર્ષ 2020માં સુમંત કઠપાલિયાને ઈન્ડસઈન્ડ બેંકના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા હતા.

Next Article