AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે સામાન્ય માણસના હિતમાં લીધા 3 મોટા નિર્ણય, થશે સીધી અસર

આજે મળેલી કેબિનેટ બેઠકમાં સેમિકન્ડક્ટર, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ખેડૂતોને વધુ સારી સિંચાઈ અને નદીઓની સફાઈ સંબંધિત યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે સામાન્ય માણસના હિતમાં લીધા 3 મોટા નિર્ણય, થશે સીધી અસર
PM Narendra Modi (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 5:30 PM
Share

બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં (cabinet meeting) 3 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા જેની સીધી અસર સામાન્ય માણસને થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી આજની બેઠકમાં, કેબિનેટે ચિપ સંકટને ધ્યાનમાં રાખીને સેમિકન્ડક્ટર્સ માટે ઇકોસિસ્ટમ (ecosystem) વિકસાવવા માટે રૂ. 76 હજાર કરોડની યોજનાની જાહેરાત કરી છે.  કેબિનેટે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને (digital transactions) પ્રોત્સાહન આપવા માટે 2021-26 માટે પ્રોત્સાહનો પર 1300 કરોડની યોજના અને 93 હજાર કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને પણ મંજૂરી આપી છે.

(1) સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે રૂ. 76000 કરોડ

કેબિનેટના નિર્ણયની જાહેરાત કરતા ઈલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 76 હજાર કરોડ રૂપિયાની પ્રોત્સાહક યોજના હેઠળ આગામી 6 વર્ષ દરમિયાન 20 થી વધુ સેમિકન્ડક્ટર ડિઝાઇન, કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ અને ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટની સ્થાપના કરવામાં આવશે. દેશને ઈલેક્ટ્રોનિક્સનું હબ બનાવવાની મોદી સરકારની યોજનાનો આ એક ભાગ છે. યુવાનોને વધુ સારી તકો આપવા માટે, 85000 કુશળ એન્જિનિયરો માટે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ચિપ્સ ડિઝાઇનર્સને તક આપવા માટે નવી યોજના ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવને મંજૂરી આપવામાં આવી છે.

યોજનામાં નાની કંપનીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. યોજનાની મદદથી 15-20 MSME બનાવવામાં આવશે. આનાથી 1 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળશે. તે જ સમયે, યોજનાની મદદથી 1.66 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવવાની અપેક્ષા છે. તે જ સમયે, કુલ ઉત્પાદન 9.5 લાખ કરોડ હોવાનો અંદાજ છે, જેમાંથી 5.17 લાખ કરોડ રૂપિયાની નિકાસ અંદાજવામાં આવી છે.

(2) જળ સંસાધન માટે રૂ. 93 હજાર કરોડની યોજનાને મંજૂરી

કેબિનેટે આજે 2021-26 માટે 93068 કરોડના ખર્ચ સાથે PM કૃષિ સિંચાઈ યોજનાને મંજૂરી આપી છે. આ રકમમાંથી રાજ્યોને 37 હજાર કરોડ રૂપિયાથી વધુની મદદ રાજ્યોને મળશે. એવો અંદાજ છે કે આ યોજનાથી 22 લાખ ખેડૂતોને ફાયદો થશે, આ સાથે સિંચાઈ લાભ કાર્યક્રમ, હર ખેત કો પાણી, વોટરશેડ ડેવલપમેન્ટ ઘટકને 2021 પછી પણ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

(3) હવે ડિજિટલ પેમેન્ટ પર લાભ મળશે

કેબિનેટે RuPay ડેબિટ કાર્ડ અને લો વેલ્યુ BHIM UPI ટ્રાન્ઝેક્શન (P2M)ને મંજૂરી આપી છે. આ માટે એક વર્ષમાં 1300 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે. યોજના હેઠળ, બેંકને RuPay ડેબિટ કાર્ડ દ્વારા અને ઓછા મૂલ્યના UPI મોડ દ્વારા કરવામાં આવેલી ચૂકવણી પર વ્યવહારના મૂલ્યની ટકાવારીના સ્વરૂપમાં પ્રોત્સાહન મળશે. આ બેંકને તેની પોતાની ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરશે, જ્યારે તે ઔપચારિક બેંકિંગ અને નાણાકીય સિસ્ટમની બહારના લોકોને ચુકવણીના ડિજિટલ મોડ્સ મેળવવામાં પણ મદદ કરશે.

આ પણ વાંચો :  Maharashtra: સ્થાનિક ચૂંટણીમાં OBC અનામત બેઠકો અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જાણો સમગ્ર અહેવાલ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">