AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષ 2022 માં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપી વિકસિત અર્થતંત્ર બનશે : IMF ની રિપોર્ટમાં 8.5% ગ્રોથરેટનો ઉલ્લેખ

આગામી વર્ષ 2022 માટે અનુમાન લગાવામાં આવ્યું છે કે તે વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનશે. ભારતનો સૌથી ઝડપી આર્થિક વિકાસ દર હશે અને તે 8.5 ટકા સુધી પહોંચી શકે છે.

વર્ષ 2022 માં ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપી વિકસિત અર્થતંત્ર બનશે : IMF ની રિપોર્ટમાં 8.5% ગ્રોથરેટનો ઉલ્લેખ
IMF said that India will continue to grow at the rate of 6.1 per cent till 2026-27.
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 8:33 AM
Share

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના વિકાસ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે. જ્યારે આગામી વર્ષ 2022 માટે અનુમાન લગાવામાં આવ્યું છે કે તે વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થા બનશે. ભારતનો સૌથી ઝડપી આર્થિક વિકાસ દર હશે અને તે 8.5 ટકા સુધી પહોંચી શકે છે. જ્યારે અમેરિકાથી આ દર 5.2 ટકા સુધી રહી શકે છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2026-27 સુધી ભારતીય અર્થતંત્ર 6.1 ટકાના દરે વૃદ્ધિ ચાલુ રાખશે.

IMF એ મોંઘવારીને લઈને એક મોટું નિવેદન પણ આપ્યું છે. નાણાકીય ભંડોળ અનુસાર ભારતની છૂટક મોંઘવારી ચાલુ નાણાકીય વર્ષમાં 5.6 ટકા અને નાણાકીય વર્ષ 2022-23માં 4.9 ટકા રહેશે. નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો દર 5.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે વિકાસ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે.

ભારતે રસીકરણના મોરચે સફળતા હાંસલ કરી ભારતીય અર્થતંત્ર અંગે IMF ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાએ કોરોનાની બીજી લહેરમાંથી મોટી રિકવરી કરી છે. બીજી લહેરના કારણે જુલાઈમાં વિકાસ દરનો અંદાજ ઘટાડવામાં આવ્યો હતો, પરંતુ હવે જે અંદાજ છે તે જ રાખવામાં આવ્યો છે. આ સિવાય તેમણે રસીકરણની ઝડપ માટે ભારતની પ્રશંસા પણ કરી હતી.

આ વર્ષ માટે વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર 10bps ઘટી ગયો છે IMF એ 2021 માટે વૈશ્વિક વિકાસ દરની આગાહી 10 બેસિસ પોઇન્ટ ઘટાડી છે જ્યારે 2022 માટે વૃદ્ધિ દરની આગાહી 4.9 ટકા જાળવી રાખી છે. નાણાકીય ભંડોળ અનુસાર આ કેલેન્ડર વર્ષમાં વૈશ્વિક આર્થિક વિકાસ દર 5.9 ટકા રહેશે. અગાઉ જુલાઈમાં તેણે વૈશ્વિક વિકાસ દરનો અંદાજ 6 ટકા રાખ્યો હતો.

વૈશ્વિક અર્થતંત્રનું કદ 5.3 ટ્રિલિયન ડોલર ઘટશે રિપોર્ટ અનુસાર કોરોના મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્રને ઘણું નુકસાન થયું છે. તેની લાંબા ગાળાની અસરને કારણે વૈશ્વિક અર્થતંત્રનું કદ આગામી પાંચ વર્ષમાં 5.3 ટ્રિલિયન ડોલર ઘટશે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, આ રીતે ચેક કરો તમારા શહેરના ભાવ

આ પણ વાંચો : અમદાવાદ સહીત દેશના 28 શહેરોમાં મળી રહ્યો છે માત્ર 634 રૂપિયામાં LPG Cylinder, જાણો કઈ રીતે મળશે સસ્તો સિલિન્ડર?

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">