AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હચમચાવી નાખનારી ખબર! જેટલા રુપિયા એક વર્ષમાં વૈષ્ણોદેવી મંદિરને દાનમાં મળે છે તેનાથી વધારે રકમ મળી એક વેપારીને ત્યાં RAIDમાં, 9 દિવસ ચાલેલી RAIDમાં કબર ખોદીને કાઢવામાં આવ્યા હીરા,મોતી અને ઝવેરાત

ઈન્કમટેકસના અધિકારીઓ દ્વારા 29 જાન્યુઆરીના રોજ તામિલનાડુમાં એક રેડ પાડવામાં આવી તે 6 ફેબ્રુઆરીના રોજ પુરી થઈ. આ રેડમાં બેનામી સંપત્તિને શોધવામાં ઈન્કમટેક્ષના અધિકારીઓને કબરને ખોલવાની ફરજ પડી હતી. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ચેન્નઈ અને કોઈમ્બતૂર ખાતે સરવન સ્ટોર્સ, જી સ્કેવર અને લોટસ કંપનીના ઠેકાણાઓ પર આ રેડ પાડવામાં આવી હતી. આ બંને શહેરોમાં ઈન્કમટેક્ષ તપાસનો […]

હચમચાવી નાખનારી ખબર! જેટલા રુપિયા એક વર્ષમાં વૈષ્ણોદેવી મંદિરને દાનમાં મળે છે તેનાથી વધારે રકમ મળી એક વેપારીને ત્યાં RAIDમાં, 9 દિવસ ચાલેલી RAIDમાં કબર ખોદીને કાઢવામાં આવ્યા હીરા,મોતી અને ઝવેરાત
Follow Us:
| Updated on: Feb 08, 2019 | 11:42 AM

ઈન્કમટેકસના અધિકારીઓ દ્વારા 29 જાન્યુઆરીના રોજ તામિલનાડુમાં એક રેડ પાડવામાં આવી તે 6 ફેબ્રુઆરીના રોજ પુરી થઈ. આ રેડમાં બેનામી સંપત્તિને શોધવામાં ઈન્કમટેક્ષના અધિકારીઓને કબરને ખોલવાની ફરજ પડી હતી.

ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ચેન્નઈ અને કોઈમ્બતૂર ખાતે સરવન સ્ટોર્સ, જી સ્કેવર અને લોટસ કંપનીના ઠેકાણાઓ પર આ રેડ પાડવામાં આવી હતી. આ બંને શહેરોમાં ઈન્કમટેક્ષ તપાસનો ધમધમાટ સતત 72 જગ્યાએ ચલાવ્યો હતો. 9 દિવસ ચાલેલી આ રેડમાં ઈન્કમટેક્ષને કુલ 433 કરોડની સંપત્તિ મળી આવી હતી. જેમાં 25 કરોડ રુપિયા કેશ, 12 કિલો સોનું અને 626 કેરેટ હીરા ઈન્કમટેક્ષના હાથ લાગ્યાં હતાં. એક અઠવાડિયા સુધી ચાલેલી આ રેડમાં ઘણી કબરોને પણ ખોદીને તેમાંથી કિંમતી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો.

TV9 Gujarati

ઈંગ્લેન્ડમાં સૌથી વધુ ટેસ્ટ જીતનાર ભારતીય કેપ્ટન કોણ છે?
કેટલી સ્પીડ પર Aeroplane ટેકઓફ કરે છે ?
Food Colour થી શું સમસ્યાઓ થઈ શકે છે?
57 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરનાર આશિષ વિદ્યાર્થીનો આવો છે પરિવાર
વસ્તી ગણતરી 2027: આ 6 સવાલો માટે થઈ જજો તૈયાર!
તમારી ઉંમર પ્રમાણે તમારે રોજ કેટલું ચાલવું?

આયકર વિભાગના અધિકારો આ કંપનીઓ પર જ નહીં પર તેના માલિકોના ઘરે પર ત્રાટક્યાં હતા. સરવન સ્ટોર્સના માલિક યોગારાધિનમ પોંડુરઈ અને તેમણે જેની સાથે સોદો કર્યો તે સાથી કંપનીઓના માલિકને ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો છે.

આયકર વિભાગની રેડ પડવાની છે તે જાણકારી પહેલાથી માલિકોને હોવાથી તેને પોતાના ડ્રાઈવરોને હિરા-ઝવેરાત સાથે શહેરની બહાર કારમાં કિંમતી વસ્તુઓ મોકલી દેવા કહ્યું હતું. આયકર વિભાગના દરોડામાં 284 કરોડ રુપિયા માલિક યોગારાધિનમ પોડુંરઈ અને બાકીના રુપિયા તેમની બે ફર્મ કંપનીના નામે મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતના વૈષ્ણોદેવી મંદિરમાં પણ આટલાં રુપિયા એક વર્ષમાં દાનમાં મળતાં હોય છે.

[yop_poll id=1213]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">