AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો ભૂલથી ATM કાર્ડ Block થઈ જાય તો કેવી રીતે કરવું UnBlock જાણો

જો તમે ATM મશીનમાંથી પૈસા ઉપાડતી વખતે સતત ત્રણ વખત ખોટો ATM PIN નાખો છો, તો તમારું ATM કાર્ડ બ્લોક થઈ જશે. ત્યાર બાદ તેને ફરી અનબ્લોક કરાવા માટે લાબી પ્રોસેસ માંથી પસાર થવું પડે છે. જો આ વિકલ્પ તમને પસંદ નથી તો આજે અમે તમને એટીએમ કાર્ડને અનબ્લોક કરવાની ટેક્નિક શીખવશું.

જો ભૂલથી ATM કાર્ડ Block થઈ જાય તો કેવી રીતે કરવું UnBlock જાણો
ATM
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 3:01 PM
Share

જો તમારું ATM કાર્ડ ભૂલથી બ્લોક થઈ ગયું છે અથવા કોઈ કારણસર બ્લોક કરવું પડ્યું છે. હવે તમે વિચારતા હશો કે એટીએમ કાર્ડ બ્લોક થઈ ગયું છે પરંતુ તેને અનબ્લોક કેવી રીતે કરવું, તો આ માટે ગભરાવાની જરૂર નથી. અહીં તમને જરૂરી માહિતી આપવામાં આવી રહી છે. તમે તમારા ATM કાર્ડને આમ અનુસરીને સરળતાથી અનબ્લોક કરી શકો છો. તમને જણાવી દઈએ કે ક્યારેક ભૂલથી ખોટો પિન નાંખવાથી એટીએમ કાર્ડ બ્લોક થઈ જાય છે અથવા તો એટીએમ કાર્ડ ખોવાઈ જાય તો તરત જ બ્લોક કરી દઈએ છીએ. હવે બ્લોકનો રસ્તો તો ખબર છે પણ અનબ્લોકનું શું? જો તમે તમારું એટીએમ અનબ્લોક કરી નાખો, તો તમે તમારા એટીએમનો ફરીથી ઉપયોગ કરી શકો છો.

જો તમે ATM મશીનમાંથી પૈસા ઉપાડતી વખતે સતત ત્રણ વખત ખોટો ATM PIN નાખો છો, તો તમારું ATM કાર્ડ બ્લોક થઈ જશે. આ કિસ્સામાં, તમારે 24 કલાક રાહ જોવી પડશે. પછી 24 કલાક પછી તમારું ATM ઑટોમૅટિક રીતે અનબ્લોક થઈ જશે અને તમે પહેલાંની જેમ સરળતાથી તેનો ઉપયોગ કરી શકશો. આ માટે તમારે કંઈ કરવાની જરૂર નથી.

આ રીતે તમને નવું એટીએમ કાર્ડ મળશે

જો તમને લાગે છે કે કોઈએ તમારા ATMમાંથી કોઈ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કર્યું છે, તો તમારે તેને તરત જ બ્લોક કરી દેવું જોઈએ. આવી સ્થિતિમાં તમારે નવા ATM કાર્ડ માટે અરજી કરવી પડશે. આ પછી બેંક તમને 5 થી 7 દિવસમાં નવું એટીએમ કાર્ડ આપશે. જો તમારું ATM કાર્ડ સુરક્ષાના કારણોસર અથવા કોઈ બેદરકારીના કારણે બ્લોક થઈ ગયું છે, તો તમારે તમારી નજીકની કોઈપણ બેંક શાખામાં જઈને તેના માટે અરજી કરવી પડશે. આ માટે તમારે તમારું આઈડી પ્રૂફ પણ બતાવવું પડશે. આ પછી, બેંક તમારી અરજીને 48 કલાકથી પાંચ દિવસની વચ્ચે ફોરવર્ડ કરશે.

 નવું ATM મળશે

જો તમે ATM કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમે નોંધ્યું હશે કે ATM કાર્ડની વેલિડિટી ત્રણથી પાંચ વર્ષની છે. આવી સ્થિતિમાં, એટીએમ કાર્ડ ત્રણથી પાંચ વર્ષ પછી આપોઆપ સમાપ્ત થઈ જાય છે. આ કિસ્સામાં, તમારે નવું ATM મેળવવું પડશે. આ માટે તમારે બેંકમાં અરજી કરવાની રહેશે. થોડા દિવસો પછી, બેંક દ્વારા તમારા સરનામા પર નવું એટીએમ કાર્ડ મોકલવામાં આવે છે.

Follow Us
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
જમીન દલાલ બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકી આવ્યા! પછી જે થયુ..-Video
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
Breaking News: સુરતમાં પનીર-ચીઝમાં ભેળસેળનો પર્દાફાશ!
પોરબંદર પોલીસનાં કયા પોલીસ સ્ટેશનની ગાડી છે તે અંગે અસમંજસ
પોરબંદર પોલીસનાં કયા પોલીસ સ્ટેશનની ગાડી છે તે અંગે અસમંજસ
g clip-path="url(#clip0_868_265)">