નાણાકીય સંશોધન કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા ગંભીર આરોપોને ભારત, તેની સંસ્થાઓ અને વિકાસ પર વ્યવસ્થિત હુમલો ગણાવતા સૌથી ધનિક ભારતીય ગૌતમ અદાણીના ગ્રુપે રવિવારે કહ્યું કે આ આરોપો જુઠ્ઠાણા સિવાય બીજું કંઈ નથી. 413 પાનાના જવાબમાં અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે આ અહેવાલ યુએસ ફર્મને તેનો લાભ મળી શકે તે હેતુથી ખોટા બજારના નિર્માણ માટે ચલાવવામાં આવ્યો છે. ગ્રુપે જણાવ્યું હતું કે તે માત્ર એક ચોક્કસ કંપની પર બિનજરૂરી હુમલો નથી પરંતુ ભારત એ ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા અને ગુણવત્તા પર અને ભારતના વિકાસ અને મહત્વાકાંક્ષા પર વ્યવસ્થિત હુમલો છે.
તમને જણાવી દઈએ કે અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચ એલએલસીએ 25 જાન્યુઆરીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રુપની તમામ મોટી લિસ્ટેડ કંપનીઓ પર ઘણું દેવું છે.આ સાથે હિંડનબર્ગે એમ પણ કહ્યું હતું કે તમામ કંપનીઓના શેર જૂથ 85% થી વધુ મૂલ્ય ધરાવે છે.
રિપોર્ટના કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ 2 દિવસમાં લગભગ 10%નો ઘટાડો થયો છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, અદાણીને નેટવર્થમાં 1.32 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેના કારણે અદાણી અમીરોની યાદીમાં ચોથા નંબરથી સરકીને સાતમા નંબરે આવી ગયા છે. 25 જાન્યુઆરીએ તેમની નેટવર્થ 9.20 લાખ કરોડ રૂપિયા હતી, જે શુક્રવારે ઘટીને 7.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
તમને જણાવી દઈએ કે, શુક્રવારે અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને બોગસ ગણાવતા કહ્યું હતું કે આ રિપોર્ટમાં કોઈ તથ્ય આધારિત નથી. અદાણી એક્ઝિક્યુટિવ્સના કોન્ફરન્સ કોલમાં ભાગ લેનારા બોન્ડધારકો દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
અદાણી ગ્રુપે 413 પેજમાં જવાબ આપ્યો જે નીચે મુજબ છે. તમને આ બધા જવાબો આ PDF ફાઈલમાં મળશે. વિગતવાર માહિતી વાંચવા અહીં ક્લિક કરો
ભારતીય શેરબજારમાં સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી સાત કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં છેલ્લા સપ્તાહમાં સામૂહિક રીતે રૂપિયા 2,16,092.54 કરોડનો ઘટાડો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને સૌથી વધુ નુકસાન થયું છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ રૂ. 71,003.2 કરોડ ઘટીને રૂ. 15,81,601.11 કરોડ થઈ ગઈ છે. સેન્સેક્સની ટોચી કંપનીઓમાં ગત સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી વધુ નુકસાન થયું છે.
Published On - 9:28 am, Mon, 30 January 23