
દેશના અગ્રણી પ્રાઇવેટ બેંક HDFC બેંક એ લોન લેનાર ગ્રાહકોને મોટી રાહત આપી છે. બેંકે તેની MCLR (Marginal Cost of Funds based Lending Rate) એટલે કે સીમાંત નાણાંકીય ખર્ચ આધારિત વ્યાજદરમાં 10 બેઝિસ પોઇન્ટ (bps) સુધીની ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી લોનધારકોને હવે વ્યાજમાં થોડી રાહત મળશે. ચાલો જાણીએ નવી દરો શું છે અને ક્યારેથી અમલમાં આવશે.
જો તમે હાલ ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. બેંકે કેટલીક નિર્ધારિત લોન અવધિ માટે તેની MCLR દરોમાં ઘટાડો કર્યો છે. નવી દરો 7 નવેમ્બર 2025થી અમલમાં આવ્યો. હવે બેંકની MCLR લોનની અવધિ અનુસાર 8.35% થી 8.60% વચ્ચે રહેશે. અગાઉ આ દર 8.45% થી 8.65% હતી.
આ ઘટાડા પછી લોન લેનારાઓને હવે વ્યાજમાં થોડી રાહત મળશે અને EMI પણ ઓછી ચૂકવવી પડશે.
MCLR એ એ રેટ છે જેની નીચે કોઈપણ બેંક લોન આપી શકતી નથી. આ બેંકની લોન આપવાની સૌથી નીચી વ્યાજદર ગણાય છે. એટલે કે, કોઈપણ લોનની વ્યાજદર MCLR કરતા ઓછી નહીં હોઈ શકે. આ સિસ્ટમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 2016માં શરૂ કરવામાં આવી હતી, જેથી લોન રેટ્સ વધુ પારદર્શક બને.
HDFC બેંકની વેબસાઇટ અનુસાર, હોમ લોનની વ્યાજદર રેપો રેટ સાથે જોડાયેલી હોય છે. હાલ વેતનભોગી અને સ્વ-નિયોજિત બંને પ્રકારના ગ્રાહકો માટે વ્યાજદર 7.90% થી 13.20% વચ્ચે છે.