કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમિતઓની સારવાર માટે ઓક્સિજન સિલિન્ડર(Oxygen Cylinder), રીમડેસિવીર(Remdesivir), હોસ્પિટલ બેડ્સ(Hospital Beds) જેવી ઘણી ચીજોનો અભાવ છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે(Piyush Goyal) જાહેરાત કરી છે કે કોવીડ -19 ની સારવારમાં અસરકારક ગણાતા રેમેડિસવીર ઈન્જેક્શન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રિમડેસિવીર આપી (Remdesivir API) ની આયાત પર કોઈ ડ્યૂટી લાગશે નહીં. આટલું જ નહીં, રેમેડિસ્વીર ઇંજેક્શનની આયાત પર ડ્યુટી ફ્રી(Import Duty Free) કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ ઘોષણા સાથે, આગામી દિવસોમાં, આ દવા દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થવાની અપેક્ષા રાખી શકાય છે.
પિયુષ ગોયલે ટ્વિટ કર્યું હતું કે ઈમ્પોર્ટ ડ્યૂટી હટાવવાથી રેમેડવીસવીર ઇન્ડક્શનની સપ્લાય વધશે તેમજ તેને બનાવવાની કિંમત પણ ઓછી થશે. આ રીતે સરકારના આ નિર્ણયથી કોરોનાથી પીડિત દર્દીઓને મોટી મદદ મળશે. છેલ્લા કેટલાક દિવસોથી રેમેડિસવીરની ભારે અછત છે. અછત અને કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને હવે સરકારે રેમેડિસવીરની ઉત્પાદન ક્ષમતાને બમણી કરવાની મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં દેશમાં દર મહિને 38.8 લાખ રેમેડિસવીર ઇંજેકશન બનાવવામાં આવતા હતા હવે તેને વધારીને 78 લાખ કરવાનું કહેવામાં આવ્યું છે.
In line with PM @NarendraModi‘s priority to ensure affordable medical care for COVID-19 patients, imports of Remdesivir API, injection and specific inputs have been made import duty free. This should increase supply and reduce cost thus providing relief to patients. pic.twitter.com/F40SX8mNeS
— Piyush Goyal (@PiyushGoyal) April 20, 2021
ઉત્પાદકોએ કિંમતોમાં ઘટાડો કર્યો
કોવિડ -19 ના કેસોમાં અચાનક વધારો થવાને કારણે રેમેડવીસવીરની માંગમાં વધારો થયો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021 માં કંપનીઓએ રેમેડિસવીરનું ઉત્પાદન પણ ઘટાડ્યું હતું. અચાનક, રેમેડિસવીરની અછતને કારણે સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. હાલમાં કેડિલા હેલ્થકેર લિમિટેડએ રેમળેકના ઈન્જેક્શનની કિંમત રૂપિયા 2800 થી ઘટાડીને 899 કરી છે. એ જ રીતે, =મોટાભાગની કંપનીઓએ તેમના ઇન્જેક્શનના ભાવમાં ઘટાડો કર્યો છે.
Published On - 8:32 am, Wed, 21 April 21