અર્થતંત્રને ખોખલું કરતી બનાવટી ચલણી નોટો ઉપર નિયંત્રણ મેળવવામાં ભારત સરકાર સફળ રહી, હવે ચલણમાં 2000 રૂપિયાની માત્ર 0.00063 ટકા નકલી નોટ

|

Aug 03, 2022 | 8:43 AM

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકાર નકલી નોટોના પ્રવાહને રોકવા માટે ઘણા પગલાં લઈ રહી છે. NIA આવા તમામ મામલાની તપાસ કરી રહી છે જેમાં આવી નકલી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી.

અર્થતંત્રને ખોખલું કરતી બનાવટી ચલણી નોટો ઉપર નિયંત્રણ મેળવવામાં ભારત સરકાર સફળ રહી, હવે ચલણમાં 2000 રૂપિયાની માત્ર 0.00063 ટકા નકલી નોટ
2000 Rupees Currency Note

Follow us on

જો તમે પણ કોઈના દ્વારા  બે હજાર રૂપિયાની નકલી નોટ (Fake Currency)પધરાવી જવાના ભયથી પરેશાન છો તો તમારા માટે રાહતના સમાચાર છે. સરકારે લોકસભામાં માહિતી આપી છે કે બેંકિંગ સિસ્ટમમાં 2000 રૂપિયાની નકલી નોટોની સંખ્યામાં અગાઉની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારના જણાવ્યા અનુસાર 2018 થી 2020 ની વચ્ચે  નકલી નોટોની સંખ્યામાં વધારો થયો હતો. જો કે, હવે તે ઘટવાના ટ્રેન્ડમાં છે. સરકારે આ જવાબો એવા સવાલ પર  આપ્યો હતો જેમાં 2000ની નકલી નોટોની સંખ્યા અને તેને નિયંત્રિત કરવાની પદ્ધતિઓ પૂછવામાં આવી હતી.

નકલી નોટોની આંકડાકીય માહિતી

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ ગૃહમાં માહિતી આપી હતી કે વર્ષ 2021-22માં દેશની બેંકિંગ સિસ્ટમમાં 2000ના મૂલ્યની 13604 નકલી નોટો પકડાઈ હતી. જે ચલણમાં હાજર તમામ 2000 મૂલ્યની નોટોના માત્ર 0.00063 ટકા છે. લોકસભામાં અપાયેલા જવાબ મુજબ 2018 અને 2020 વચ્ચે આવી નકલી નોટોની સંખ્યામાં વધારો થયો હતો. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટાના આધારે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2018 દરમિયાન 54776 નકલી નોટો પકડાઈ હતી. તે જ સમયે 2019 માં 90556 નોટો ઝડપાઇ હતી.  અત્યાર સુધીમાં કુલ 2.5 લાખની નકલી નોટો ઝડપાઈ છે. આપેલી માહિતી અનુસાર 90 ટકા નકલી નોટોમાં સુરક્ષાના તમામ સંકેતો હતા પરંતુ તેની ગુણવત્તા ઘણી નબળી હતી.

નકલી નોટોને રોકવાના પગલાં શું ભરાઈ રહ્યા છે ?

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકાર નકલી નોટોના પ્રવાહને રોકવા માટે ઘણા પગલાં લઈ રહી છે. NIA આવા તમામ મામલાની તપાસ કરી રહી છે જેમાં આવી નકલી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. NIA આવા મામલા અને તપાસના તારણો વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરી રહી છે. NIA એવા કેસોની તપાસ કરી રહી છે જેમાં નકલી ચલણનો ઉપયોગ કરીને આતંકવાદી કૃત્યો કરવામાં આવ્યા હતા. આ માટે NIAએ ટેરર ​​ફંડિંગ અને ફેક કરન્સી સેલની પણ સ્થાપના કરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારતની ચલણી નોટમાં કેટલી ભાષાઓમાં લખેલી હોય છે ?

ભારતીય નોટોમાં નોટની કિંમત, તે મૂલ્ય વિશેની માહિતી હિન્દી અને અંગ્રેજી સિવાય ઘણી ભાષાઓમાં લખેલી છે. આ માહિતી દ્વારા જે તે રાજ્ય કે પ્રદેશની વ્યક્તિ પણ સરળતાથી નોટ વિશે જાણી શકે છે.ભારતમાં લગભગ 22 સત્તાવાર ભાષાઓ છે. નોટ પર આમાંથી 15 ભાષાઓમાં માહિતી લખેલી છે. આ 15 ભાષાઓમાં ઉર્દૂનો પણ સમાવેશ થાય છે. નોટ પર જે 15 ભાષાઓમાં માહિતી લખવામાં આવી છે તેમાં આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, ઉર્દૂનો સમાવેશ થાય છે.

Published On - 7:34 am, Wed, 3 August 22

Next Article