સરકારે ખાનગી ક્ષેત્ર માટે નવી તકો ઉભી કરી, મેન્યુફેક્ચરિંગને મંજૂરી આપવામાં આવી છેઃ નાણાપ્રધાન સીતારમણ

|

May 09, 2022 | 9:58 PM

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે ખાનગી ક્ષેત્ર માટે નવી તકો ઊભી કરી છે. તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રને આવા ઘણા ક્ષેત્રોમાં ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવી છે, જે પહેલા માત્ર જાહેર ક્ષેત્રના એકમો (PSU) માટે હતા.

સરકારે ખાનગી ક્ષેત્ર માટે નવી તકો ઉભી કરી, મેન્યુફેક્ચરિંગને મંજૂરી આપવામાં આવી છેઃ નાણાપ્રધાન સીતારમણ
Finance Minister Sitharaman

Follow us on

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) સોમવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે ખાનગી ક્ષેત્ર માટે નવી તકો ઉભી કરી છે. તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્ર (Private Sector)ને આવા ઘણા ક્ષેત્રોમાં ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવી છે, જે પહેલા માત્ર જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ) માટે હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના 70 વર્ષના શાસન દરમિયાન લાયસન્સ ક્વોટા રાજ પ્રચલિત હતું, જ્યારે વર્તમાન સરકારે આ નીતિમાં ફેરફાર કર્યો છે. નાણાપ્રધાને કહ્યું કે અગાઉની સરકારોમાં ઉત્પાદનની મર્યાદિત તકો હતી અને નિયંત્રણો ખૂબ જ હતા. આવી સ્થિતિમાં ખાનગી ક્ષેત્રની મેન્યુફેક્ચરિંગ (Manufacturing)ને પ્રોત્સાહન આપવાની ક્ષમતા હોવા છતાં તેમની આકાંક્ષાઓ દબાઈ ગઈ હતી. સ્ટાર્ટઅપ એકેડમી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ‘સ્ટાર્ટઅપ ધ્રુવ’ એવોર્ડ આપવાના પ્રસંગે સીતારમને આ વાત કહી.

MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવ્યું: નાણામંત્રી

સીતારમણે કહ્યું કે કોંગ્રેસ સરકારે 1991માં અર્થવ્યવસ્થાને ખોલ્યા પછી કેટલીક સારી બાબતો થઈ હોવા છતાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા નીતિગત ફેરફારોથી ખાનગી ક્ષેત્રને વિશેષ તકો મળી છે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને MSME સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આજે, કેટલાક વ્યૂહાત્મક ક્ષેત્રો સિવાય, ખાનગી ક્ષેત્ર સંરક્ષણ, અવકાશ અને પરમાણુ ઉર્જા ક્ષેત્રોમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો સાથે મળીને કામ કરી શકે છે.

કોઈમ્બતુરમાં સ્ટાર્ટઅપ્સની પ્રશંસા કરતા સીતારમણ તેમને વેબ3 અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. વેબ3 એ ઈન્ટરનેટ પરની એપ્લિકેશનો અને વેબસાઈટ્સનો સંદર્ભ આપવા માટે વપરાતો શબ્દ છે, જે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

આ સિવાય તમને જણાવી દઈએ કે એક કાર્યક્રમમાં બોલતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર અને હું રિઝર્વ બેંકના નિર્ણયથી આશ્ચર્યચકિત નથી. જો કે હું ચોક્કસપણે સમય વિશે આશ્ચર્યચકિત છું. એપ્રિલમાં મોનેટરી પોલિસીની બેઠકમાં ગવર્નર દાસે વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. MPCની આગામી બેઠક જૂનમાં યોજાવાની છે. જોકે મધ્યસ્થ બેંકે આ નિર્ણય અધવચ્ચે જ લીધો હતો. ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા આયોજિત ઈવેન્ટમાં બોલતા નિર્મલા સીતારમણે કહ્યું કે રેપો રેટ વધવાને કારણે લોન લેવી મોંઘી થઈ જશે. જો કે, આ સરકારની ખર્ચ યોજનાઓને કોઈપણ રીતે અસર કરશે નહીં. સીતારમણે કહ્યું કે વિશ્વભરની કેન્દ્રીય બેંકો વ્યાજ દરમાં વધારો કરી રહી છે. આ સંદર્ભે રિઝર્વ બેંકે પણ વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

Next Article