તમે લોનના હપ્તા ભરો છો તો તમારા માટે સારા સમાચાર, ફેબ્રુઆરીમાં લોનના EMI માં થઈ શકે ઘટાડો

|

Dec 16, 2023 | 1:17 PM

યુએસ ફેડ જ્યારે પણ તેના પોલિસી રેટમાં વધારો કે ઘટાડો કરે છે, ત્યારે ભારત પણ તેના વ્યાજદરોમાં ફેરફાર કરે છે. છેલ્લી 5 મીટિંગમાં ભારતે તેના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. પરંતુ આ સમયગાળા દરમિયાન અમેરિકાએ 2 વખત વ્યાજદરમાં વધારો કર્યો હતો. અમેરિકાની સરખામણીએ ભારતે પહેલેથી જ વ્યાજદરમાં વધારો કર્યો હતો

તમે લોનના હપ્તા ભરો છો તો તમારા માટે સારા સમાચાર, ફેબ્રુઆરીમાં લોનના EMI માં થઈ શકે ઘટાડો
Loan EMI

Follow us on

મધ્યમ વર્ગના લોકોને હાલમાં બે મોટી સમસ્યાઓ છે, એક મોંઘવારી અને બીજુ લોનના હપ્તા. થોડા દિવસ પહેલા અમેરિકાએ સંકેત આપ્યા હતા કે, વર્ષ 2024માં વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. તેના કારણે ભારતમાં પણ આવતા વર્ષે વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. ભારત સામે સૌથી મોટો પડકાર મોંઘવારી ઘટાડવાનો છે. લોકોને આશા છે કે RBI અને સરકાર ફેબ્રુઆરી પહેલા મોંઘવારીના આંકડા 4% થી નીચે લાવશે. ત્યારબાદ ફેબ્રુઆરી પોલિસીમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે.

આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં મોંઘવારી અને વધેલા લોનના EMI મહત્વના મુદ્દા બની શકે છે. તેથી સરકાર પણ ઇચ્છે છે કે, ચૂંટણી પહેલા આ બંને પર નિયંત્રણ લાવી શકાય અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપીને તેમને મતમાં ફેરવી લેવામાં આવે.

વ્યાજદરમાં 75 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે

થોડા દિવસ પહેલા યુએસ ફેડ એ સંકેત આપ્યો હતો કે, વ્યાજદર વધારવાનો સમયગાળો પૂરો થયો છે. એવો પણ સંકેત આપવામાં આવ્યો છે કે, વર્ષ 2024માં વ્યાજદરોમાં 3 વખત ઘટાડો થઈ શકે છે. યુએસ ફેડ 25 બેસિસ પોઈન્ટનો 3 વખત ઘટાડો કરીને વ્યાજદરમાં કુલ 75 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે. બજાર 4 વખત ઘટાડાની અપેક્ષા રાખી રહ્યું છે. એટલે કે લગભગ 1 ટકાનો ઘટાડો થઈ શકે છે.

આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !
આજનું રાશિફળ તારીખ : 28-09-2024
અર્ચના કપિલથી નારાજ ? ઉંમર પર ટોણો, અંગત જીવન પર મજાક ! ખુદ બોલી આ વાત
કિડની ફેલ થાય તે પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો અહીં
ઘરમાં તુલસી હોય તો, ગાંઠ બાંધી લો આ 5 વાત
આ ક્રિકેટરો જન્મ્યા અન્ય દેશમાં અને ક્રિકેટ અન્ય દેશ તરફથી રમ્યા

ભારતે વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા નથી

યુએસ ફેડ જ્યારે પણ તેના પોલિસી રેટમાં વધારો કે ઘટાડો કરે છે, ત્યારે ભારત પણ તેના વ્યાજદરોમાં ફેરફાર કરે છે. છેલ્લી 5 મીટિંગમાં ભારતે તેના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. પરંતુ આ સમયગાળા દરમિયાન અમેરિકાએ 2 વખત વ્યાજદરમાં વધારો કર્યો હતો. અમેરિકાની સરખામણીએ ભારતે પહેલેથી જ વ્યાજદરમાં વધારો કર્યો હતો અને મોંઘવારી પણ અમેરિકાની સરખામણીમાં નિયંત્રણમાં હતી.

આ પણ વાંચો : આ કંપનીએ ચંદ્રયાનને અપાવી સફળતા, જાણો તમે આ કંપનીનો IPO ભરશો તો કેટલો નફો થશે

જાન્યુઆરીમાં યોજાનારી મીટિંગમાં જો અમેરિકા વ્યાજદરમાં ઘટાડો કરશે તો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર વ્યાજદરમાં ઘટાડો કરવાનું દબાણ રહેશે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા MPCની બેઠક 6-8 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. પોલિસી રેટ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. જાન્યુઆરીની મોંઘવારીના ડેટા 12 ફેબ્રુઆરીએ જાહેર થશે. સેન્ટ્રલ બેંકને ડેટા વિશે ખ્યાલ હશે, તેથી RBI ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article