Gold Hallmarking મામલે સરકારે આપી રાહત, 40 લાખ સુધી ટર્નઓવર કરતા જવેલર્સને મુક્તિ અપાઈ

|

Jun 16, 2021 | 2:30 PM

Gold Hallmarkingના નિયમો હાલ દેશભ્રમ કડકાઈ સાથે લાગુ પડશે નહીં. જવેલર્સે સરકારને વિનંતી કરી છે કે તે હાલમાં નિયમનો સંપૂર્ણ અમલ કરી શકે તેમ નથી.

Gold Hallmarking મામલે સરકારે આપી રાહત, 40 લાખ  સુધી  ટર્નઓવર કરતા જવેલર્સને મુક્તિ અપાઈ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

Gold Hallmarkingના નિયમો હાલ દેશભ્રમ કડકાઈ સાથે લાગુ પડશે નહીં. જવેલર્સે સરકારને વિનંતી કરી છે કે તે હાલમાં નિયમનો સંપૂર્ણ અમલ કરી શકે તેમ નથી. આ મામલે મંગળવારે સાંજે જ્વેલર્સની વાણિજ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પિયુષ ગોયલ સાથે બેઠક થઈ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેનો નિયમનો અમલ એકસાથે નહિ તબક્કાવાર કરવામાં આવશે.

દેશમાં નોંધણી વગરના લોકોની સંખ્યા વધુ છે
પિયુષ ગોયલે બેઠકમાં જાહેરાત કરી હતી કે પ્રથમ તબક્કામાં 16 જૂનથી દેશના 256 જિલ્લાઓમાં હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવશે જ્યાં હોલમાર્કિંગ કેન્દ્રો પહેલાથી જ અસ્તિત્વમાં છે. જો કે 40 લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા ઝવેરીઓને હોલમાર્ક જ્વેલરી વેચવાની છૂટ મળશે. દેશમાં મોટી સંખ્યામાં જ્વેલર્સ હતા જેમણે બીઆઈએસ સર્ટિફિકેટ લીધું ન હતું. સરકાર આટલા લોકો સામે કાર્યવાહી કરી શકે નહીં. તેથી જ સરકારે વચલો રસ્તો કાઢ્યો છે.

નવા નિયમો 1 સપ્ટેમ્બરથી દરેકને લાગુ થશે
સરકારે તમામ જવેલર્સનેને 1 સપ્ટેમ્બર સુધી તેમના જૂના સ્ટોક પર હોલમાર્કિંગ માટે કહ્યું છે. આ સમયગાળા દરમ્યાન જૂના સ્ટોક પર હોલમાર્કિંગ કરવું પડશે. આ દરમિયાન કોઈ પણ વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

BIS ગોલ્ડ હોલમાર્કિંગ કઈ રીતે કરાશે 
2 ગ્રામથી વધુના ઝવેરાતનું બીઆઇએસ માન્યતા કેન્દ્ર દ્વારા તપાસ કરાવવી પડશે અને તેના પર સંબંધિત કેરેટના બીઆઈએસ માર્કને અંકિત કરાવવું પડે છે. બીઆઈએસનો ત્રિકોણાકાર ચિહ્ન, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, સોનાની શુદ્ધતા જ્વેલરી પર લખવામાં આવશે. ઉપરાંત જ્યારે ઝવેરાત બનાવવામાં આવશે ત્યારે તેનું વર્ષ અને ઝવેરીનો લોગો પણ રહેશે.

ઘરમાં મુકેલા સોનાને કોઈ અસર પડશે નહિ
Gold Hallmarking ની ઘરમાં રાખવામાં આવેલા સોનાને કોઈ અસર પડશે નહિ. આ નિયમ ગ્રાહકો માટે નહિ પરંતુ જવેલર્સ માટે છે. ગ્રાહક જયારે ઈચ્છે ત્યારે તેમની જૂની જવેલરી વેચી શકે છે.હવે ઝવેરી હોલમાર્ક વગર સોનુ વેચી શકશે નહિ. આ ઉપરાંત સોનાની ગુણવત્તાની ખાતરી રહેશે અને ગ્રાહકો સાથે ભલેસેલની ઠગાઈ થી શકશે નહિ.

હોલમાર્કિંગ અંગે જરૂરી માહિતી
>> 40 લાખથી ઓછા ટર્નઓવરને માફી
>> રજીસ્ટ્રેશન ફી સંપૂર્ણપણે નાબૂદ.
>> હોલમાર્કિંગ 14, 18, 20, 22, 23 અને 24 કેરેટના ઘરેણાં પર ઉપલબ્ધ રહેશે.
>> પોલ્કી, મીના, કુંદન ઝવેરાતને હોલમાર્કિંગના અવકાશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
>> મેન્યુફેક્ચરિંગને લાઇસન્સના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવ્યું છે.
>> રિટેલર બેચ નંબર પર ઝવેરાત બનાવડાવી શકે છે
>> જ્વેલર્સ ગ્રાહકો પાસેથી હોલમાર્ક વિના ઘરેણાં પાછા ખરીદી શકશે.

Next Article